ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ થવા જઇ રહી છે ત્યારે આ અંગે ચીન દ્વારા પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, વાતચીત થવા પર અમને ખુશી છે.
પાકિસ્તાન અને ભારત વચ્ચે હાલમાં વાતચીત થવાની શરૂઆતથી અમે ખુશઃ ચીન
જમ્મુ કાશ્મીર અને અન્ય સેક્ટરોમાં LoC પર યુદ્ધ વિરામને અંગે ચર્ચા
ભારત અને પાકિસ્તાનની સેનાએ 25 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી
ચીને કહ્યું કે, પાકિસ્તાન અને ભારત વચ્ચે હાલમાં વાતચીત થવાની શરૂઆતને લઇને તેઓ ખુશ છે. સાથે જ તેમણે સંકેત આપ્યા કે ક્ષેત્રીય શાંતિ, સ્થિરતા અને વિકાસની દિશામાં વધુ સકારાત્મક ઉર્જા લગાવવા માટે તેઓ ઇસ્લામાબાદની સાથે મળીને કામ કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનની સેનાઓએ 25 ફેબ્રુઆરીએ જાહેરાત કરી કે તેઓ જમ્મુ કાશ્મીર અને અન્ય સેક્ટરોમાં LoC પર યુદ્ધ વિરામને લઇને તમામ કરારોનું કડકાઇથી પાલન કરશે.
જાહેરાતના થોડા અઠવાડિયા બાદ જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને પાકિસ્તાન સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ભારત તરફથી શાંતિનો હાથ વધારવા કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે બન્ને પાડોશી દેશ પોતાના ભૂતકાળને પાછળ છોડીને આગળ વધે.
ચીનના વિદેશ મંત્રાલય પ્રવક્તા ઝાઓ લિજિયાને સોમવારે એક સંમેલનમાં એક સવાલના જવાબમાં કહ્યું કે, અમે પાકિસ્તાન અને ભારત વચ્ચે વાતચીતની તત્પરતાને લઇને ખુશ છીએ.
જોકે, મોડી સાંજે ચીની વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર પ્રવક્તાના હવાલાથી અપલોડ કરવામાં આવેલ વિવરણમાં કહેવામાં આવ્યું કે ચીન, ભારતની સાથે પાકિસ્તાનની હાલની સકારાત્મક વાતચીતથી ખુશ છે.