ચીને જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાના ભારતના નિર્ણય પર ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની માંગ કરી છે. એક સીનિયર ડિપ્લોમેટે આ અંગે જાણકારી આપી છે.
એમણે બતાવ્યું છે કે બીજિંગના નજીકના સહયોગી પાકિસ્તાને આ વિશે ઓગસ્ટ મહીનામાં સુરક્ષા પરિષદના અધ્યક્ષ પોલેન્ડને પત્ર લખ્યો હતો. સીનિયર ડિપ્લોમેટે પીટીઆઇને જણાવ્યું કે બેઠક બોલાવવાનો અનુરોધ હાલમાં જ કરવામાં આવ્યો હતો. જોકે, બેઠક માટે કોઇ સમય નક્કી કરવામાં આવ્યો નથી.
એમણે કહ્યું, 'ચીને સુરક્ષા પરિષદની કાર્યસૂચીમાં સામેલ 'ભારત-પાકિસ્તાન સવાલ' પર ચર્ચાની માંગ કરી છે. આ માંગ પાકિસ્તાનની તરફથી સુરક્ષા પરિષદના અધ્યક્ષને લખેલા પત્રના સંદર્ભમાં કરવામાં આવી છે.' હાલમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે તેમના દેશે, જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાના ભારતના નિર્ણય પર ચર્ચા માટે સુરક્ષા પરિષદની આપાત બેઠક બોલાવવાની ઓપચારિક માંગ કરી છે.
ડિપ્લોમેટે જણાવ્યું છે કે ચીને પણ સુરક્ષા પરિષદની બેઠક બોલાવવા માટે ઓપચારિક રૂપે અનુરોધ કર્યો છે. પરંતુ પોલેન્ડે બેઠકની તારીખ અને સમય નક્કી કરતા પહેલા અન્ય સભ્યો સાથે પરામર્શ કરવી પડશે. અધિકારીએ કહ્યું કે હજુ સુધી બેઠકના સમયને લઇને કોઇ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો.