ચીનમાં ફરી એકવાર આકાશી આફતના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ચીનના યાંગ્ટજી નદીના ઉંચાણવાળા વિસ્તારોમાંથી એક લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા છે. પૂરના કારણે 1200 વર્ષ જૂના વિશ્વ વિરાસત સ્થળ પર ખતરો મંડરાઈ રહ્યો છે.
ચીનમાં 71 વર્ષ બાદ બુદ્ધની પ્રતિમા સુધી પહોંચ્યું પાણી
બુદ્ધની પ્રતિમાના અસ્તિત્વ પર ખતરો
233 ફૂટ ઉંચી પ્રતિમા પર સંકટના વાદળ
ચીનમાં એક લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
યૂનેસ્કો દ્વારા આ વિશ્વ વિરાસત સ્થળ પર ભગવાન બુદ્ધની 233 ફૂટ ઉંચી પ્રતિમાને બચાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. 1947 બાદ પ્રથમ વાર સિચુઆન પ્રાંતમાં ભગવાન બુદ્ધની મૂર્તિના અંગુઠા સુધી પાણી પહોંચ્યું છે. જોકે હવે પૂરના પાણી ઓસર્યા છે.
ભૂસ્ખલનના કારણે પડોશી યૂન્નાન પ્રાંતમાં 5 લોકો લાપતા થઈ ગયા છે. ઘર પણ તૂટી ગયા છે. ચીનમાં ચાલુ વર્ષે પૂરના કારણે 200 લોકોના મૃત્યુ થયા છે. 25 અબજ ડોલરનું નુકસાન થયું છે. સિચુઆનમાં યાંગ્ટજી નદીનું જળસ્તર વધવા બાદ અલર્ટ જાહેર કરાયું છે.
યાંગ્ટજી નદીમાં પૂરને રોકવા માટે બનાવાયેલા થ્રી જોર્જ ડેમમાં પાણીનું સ્તર રેકોર્ડ 72 હજાર ક્યૂબિક મીટર પ્રતિ સેકન્ડની ગતિએ વધી રહ્યું છે. મનાઈ રહ્યું છે કે થ્રી જોર્જમાં પાણીનું વહેણ ગુરુવારે પોતાના ઉચ્ચત્તમ સ્તર 76,000 ક્યૂબિક પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે. આ બાંધથી જળગ્રહણ વિસ્તારોમાં પણ પાણીનું સ્તર વધી ગયુ છે. આને જોતા થ્રી જોર્જ ડેમ મેનેજમેન્ટ દ્વારા મંગળવારે પાણી છોડવામાં આવ્યું હતુ. ચોંગકિંગ શહેરમાં વર્ષ 1981 બાદ સૌથી ભીષણ પુર આવ્યું છે.