ભારતે ચીન સાથે કોઈ એક જગ્યાએ નહીં પરંતુ દરેક સરહદ પર સંતર્ક રહેવાની જરૂર છે. ચીનની વિસ્તારવાદી નીતિથી ઘણાં દેશો પરેશાન છે અને તેમાંથી ભારત પણ બાકાત નથી. ચીન હવે શ્રીલંકામાં પણ ઝડપથી પગપેસારો કરી રહ્યું છે.
ભારતે ચીનથી દરેક સરહદ પર સંતર્ક રહેવાની જરૂર
ચીન હવે શ્રીલંકામાં કરી રહ્યું છે ઝડપથી પગપેસારો
પરિયોજનાઓની આડમાં ચીનનો વિસ્તાર ભારત માટે સંકટ સમાન
શ્રીલંકામાં ચીનની વધી રહી છે દખલ
ભારત માટે આ વાત ચિંતા સમાન એટલા માટે છે કારણકે ચીન શ્રીલંકામાં તામિલોને આકર્ષવા માટેના પ્રયાસ કરી રહ્યું છે. પરિયોજનાઓની આડમાં ઉત્તર શ્રીલંકામાં ચીનનો વિસ્તાર ભારત માટે સંકટની ઘંટડી સમાન છે. ચીન જે પહેલેથી જ શ્રીલંકામાં ઊંડી વ્યૂહાત્મક છાપ બનાવી ચૂક્યુ છે, હવે ભારતીય સરહદો પર પોતાની ઉપસ્થિતિ મજબુત કરવાની દિશામાં જોતરાઈ ગયુ છે. ચીનની આ રણનીતિને જોઈને ભારતે જાગી જવાની જરૂર છે. કારણકે ભારતીય સરહદ નજીક ચીનની ઉપસ્થિતિની સાથે તામિલોને આકર્ષવાના દરેક પ્રયાસ કરી રહ્યું છે.
ચીન તરફ વધી રહ્યો છે ઝુકાવ
ભારતીય સુરક્ષા સંસ્થાના સુત્રોનું કહેવુ છે કે, ચીન જે રીતે શ્રીલંકાના ઉત્તરના ભાગોમાં ઈન્પ્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરી રહ્યું છે. જેનો ફાયદો ચીન બાદમાં ઉઠાવી શકે છે. નિશ્ચિત રીતે આ ભારત માટે ચિંતાજનક બાબત છે. અગાઉ ચીની પરિયોજનાઓ મોટા પ્રમાણમાં દક્ષિણ શ્રીલંકા સુધી મર્યાદિત હતી. ગોટાબયા રાજપક્ષે સરકાર હવે ઉત્તર શ્રીલંકામાં પણ ચીનના ઉદ્યોગસાહસિકોને ખાસ્સી સુવિધાઓ આપી રહી છે. ભારત ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં જાફના દ્વિપકલ્પના ત્રણ ટાપુઓમાં ચાઇનીઝ સિનોસાર-એટેક્વિન સંયુક્ત સાહસ માટે 12 મિલિયન ડૉલરની હાઈબ્રિડ પવન અને સૌર ઉર્જા પરિયોજના આપવાના શ્રીલંકાના નિર્ણયનો પહેલાં જ વિરોધ કર્યો છે.