ભારતની સાથે સૈન્ય ગતિરોધની વચ્ચે ચીને નવો ભૂ બોર્ડર કાયદો પસાર કર્યો છે.
ચીને નવો ભૂ બોર્ડર કાયદો પસાર કર્યો
સંપ્રભૂતા તથા ક્ષેત્રીય અખંડતા પાવન અને અક્ષુણ્ણ છે- એનપીસી
ચીને 12 પડોસીઓની સાથે સીમા સંબંધી વિવાદ ઉકેલ્યો પણ...
ચીને નવો ભૂ બોર્ડર કાયદો પસાર કર્યો
ચીનની સંપ્રુભુતા અને ક્ષેત્રીય અખંડતાને પવિત્ર અને અક્ષુણ્ણ બનાવતા ચીનની સંસદે બોર્ડરના વિસ્તારોના સંરક્ષણ અને ઉપયોગને લઈને નવો કાયદો પસાર કર્યો છે. જેની અસર ભારતની સાતે બેજિંગના સીમા વિવાદ પર પડી શકે છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના સમાચાર અનુસાર નેશનલ પીપલ્સ કોંગ્રેસ(એનપીસી)ની સ્થાયી સમિતિના સભ્યોએ શનિવારે સંસદના સમાપન બેઠક દરમિયાન આ કાયદાને મંજૂરી આપી છે. આ કાયદો આવતા વર્ષની એક જાન્યુઆરીથી અમલમાં આવશે.
સંપ્રભૂતા તથા ક્ષેત્રીય અખંડતા પાવન અને અક્ષુણ્ણ છે- એનપીસી
આ મુજબ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સંપ્રભૂતા તથા ક્ષેત્રીય અખંડતા પાવન અને અક્ષુણ્ણ છે. કાયદામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સીમા સુરક્ષાને મજબૂત કરવા માટે આર્થિક તથા સામાજિક વિકાસમાં મદદ આપવા, બોર્ડર વિસ્તારોને ખોલવા, આવા વિસ્તારોમાં જનસેવા અને માળખાગત ઢાંચાને સારુ બનાવવા તથા તેને વધારવા તેમજ ત્યાંના લોકોને જીવન તથા કાર્યમાં મદદ આપવા માટે દેશમાં આ પગલું ભરી શકે છે. તે બોર્ડર પર રક્ષા, સામાજિક તથા આર્થિક વિકાસમાં સમન્વયને વધારવા માટે ઉપાય કરી શકે ચે. દેશમાં સમાનતા, પરસ્પર વિશ્વાસ અને મિત્રતાપૂર્ણ વાતચીતના સિધ્ધાંતોનું પાલન કરતા પડોશીની સાથે જમીન બોર્ડર સંબંધી મુદ્દાઓને પહોચી વળવા તથા ઘણા સમયથી પેન્ડિંગ સીમા સંબંધી મુદ્દા અને વિવાદોનું યોગ્ય સમાધાન કરવા માટે વાતચીતનો સહારો લેશે.
ચીને 12 પડોસીઓની સાથે સીમા સંબંધી વિવાદ ઉકેલ્યો પણ...
બેજિંગે પોતાના 12 પડોસીઓની સાથે સીમા સંબંધી વિવાદ ઉકેલી દીધા છે. ભારત અને ભૂતાનની સાથે તેમના હજું સુધી બોર્ડર સંબંધી સમજૂતિને અંતિમ રુપ નથી આપ્યું. ભારત તથા ચીનની વચ્ચે સીમા વિવાદ વાસ્તવિક નિયંત્રણ રેખા પર 3488 કિલોમીટરના વિસ્તારમાં છે. જ્યારે ભૂતાનની સાથે ચીનના વિવાદ 400 કિલોમીટરની સીમા છે.