ભારત અને ચીન વચ્ચે મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે અને એવામાં આજે બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે મહત્વની બેઠક થઇ હતી જોકે આ બેઠકમાં ચીની વિદેશ મંત્રી ફાંફા મારતા જોવા મળ્યા.
ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે થઇ બેઠક
બેઠકમાં ગેંગેફેંફે કરતા રહ્યા ચીની વિદેશ મંત્રી
લદાખમાં ચીને કેમ 50 હજાર સૈનિકો તૈનાત કર્યા છે તે સવાલનો જવાબ ન આપી શક્યું ચીન
લદાખમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે આજે મિટિંગ થઇ પરંતુ આ મિટિંગમાં ચીની વિદેશ મંત્રી એવા ભોંઠા પડ્યા કે તે કંઈ બોલી ન હતા શકતા. વાતચીત દરમિયાન ચીની પક્ષ તે બતાવવામાં અસફળ રહ્યા કે લદાખમાં ચીને પચાસ હજારથી વધારે સૈનિકો અને મોટા પ્રમાણમાં હથિયારો કેમ તૈનાત કરી રાખ્યા છે. ભારતે કહ્યું કે ચીની સૈનિકોને ખડકવાએ બંને દેશો વચ્ચે કરવામાં આવેલ વર્ષ 1993 અને 1996 માં થયેલ સંધીનું ઉલ્લંઘન છે.
The meeting between External Affairs Minister S Jaishankar and Chinese State Councilor & Foreign Minister Wang Yi concludes, in Moscow. (file pic)
રશિયાના એક અહેવાલ અનુસાર ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ચીની વિદેશ મંત્રી વાંગ યીને કહ્યું કે આટલા મોટા પ્રમાણમાં ચીની સૈનિકોને તૈનાત કરવાના કારણે LAC પર વિવાદ થયો છે. બે કલાક સુધી ચાલેલ આ બેઠકમાં બંને પક્ષ તણાવને ખતમ કરવા પર સહમત થયા પણ ચીન પોતાની પૂર્વ સ્થિતિને બદલવા પર વધારે સહમત થયું નથી.
ચીનના વિદેશ મંત્રી જાણે ગોખેલી વાતો જ કરી રહ્યા હોય તેમ ગોળ ગોળ જવાબ આપતાં રહ્યા. તેમણે કહ્યું કે મહત્વપૂર્ણ છે કે અતિક્રમણ કરવા આવેલા બધા સૈનિકોને પાછા હટાવી લેવામાં આવે. તેમનો ઈશારો ભારતના સૈનિકો પર હતો. બીજી તરફ ભારતે ચીનના આરોપોને ફગાવતા કહ્યું કે અમે સરહદ પાર કરી નથી.
નોંધનીય છે કે ભારત અને ચીન વચ્ચે આ વર્ષે લાંબા સમયથી સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે અને ચીને લદાખમાં જ પચાસ હજારથી વધારે સૈનિકો ઉભા કરી દીધા છે. હવે આ બેઠક બાદ તણાવમાં શું ઘટાડો થાય છે હવે જોવાનું રહ્યું.