ભારત અને ચીન વચ્ચે લદાખની સરહદ પર ભલે બંને દેશ અત્યારે શાંતિપૂર્ણ રીતે સમાધાન લાવવા માટે તૈયાર થયા હોય પરંતુ ચીન તો જાણે યુદ્ધ કરવાના જ મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. ચીનની સેના સતત યુદ્ધની તૈયારીઓમાં લાગેલી છે. તિબેટની સરહદ પર રાત્રી દરમિયાન યુદ્ધ અભ્યાસ કર્યા બાદ ચીનની સેનાએ ઉત્તર-પશ્ચિમના પર્વતોમાં પણ યુદ્ધ અભ્યાસ કર્યું છે. ચીનની સરકારી મીડિયા સતત યુદ્ધાભ્યાસનાં વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી ભારતને આંખો દેખાડી રહ્યું છે.
ચીનની સેનાએ કર્યું યુદ્ધાભ્યાસ
ચીનની સરકારી મીડિયાએ વીડિયો જાહેર કર્યો
રક્ષા વિશેષજ્ઞો અનુસાર ભારતે સાવધાન થવાની જરૂર
પર્વતો પર રાત્રી દરમિયાન યુદ્ધની તૈયારીઓ
ચીનના ગ્લોબલ ટાઈમ્સે એક વીડિયો શેર કર્યો જેમાં ચીનના હજારો સૈનિકો પર્વતો અને દુર્ગમ વિસ્તારોમાં યુદ્ધાભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે. ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝનના CCTV ફૂટેજ અનુસાર એરફોર્સ અને એરબોર્ન બ્રિગેડ દ્વારા હુબેઈથી હજારો કિમી દૂર અજ્ઞાત સ્થાન પર યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યું. ચીનની સેના ભારત સાથે લાગેલી તિબેટની સરહદ પર પણ યુદ્ધાભ્યાસમાં લાગેલી છે. ચીનની સેના સ્પેશીયલ પર્વતો પર લડવામાં ઉપયોગી હથિયાર અને રાત્રી દરમિયાન યુદ્ધ કરી શકાય તેની પ્રેક્ટીસ કરવામાં આવી. સેના પાસે ખાસ નાઈટ વિઝન હથિયારો છે જેનાથી અંધારામાં લડવામાં ખૂબ મદદરૂપ થાય છે.
Several thousand soldiers with a Chinese PLA Air Force airborne brigade took just a few hours to maneuver from Central China’s Hubei Province to northwestern, high-altitude region amid China-India border tensions. https://t.co/dRuaTAMIt0pic.twitter.com/CtRJRk13IO
ચીનના હજારો સૈનિકો, ટેંક LAC પાસે પહોંચી ગયા. આ સૈનિકોએ બસ, ટ્રેન અને વિમાન મારફતે તૈનાત કરવામાં આવ્યા અને આ બધું જ સેનાએ માત્ર કલાકોમાં જ કરી લીધું, તેથી સેના એવું બતાવવા માંગે છે કે તે ખૂબ ઓછા સમયમાં સેના પહોંચાડી શકે છે.
અત્યાધુનિક હથિયારોથી યુદ્ધાભ્યાસ
નોંધનીય છે કે શનિવારે સરહદ પર તણાવ વચ્ચે ભારત અને ચીન વચ્ચે એક બેઠક યોજાઈ હતી અને રવિવારે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશ ક્ષેત્રમાં શાંતિ સ્થાપના માટે સહમત થયા છે અને ડીપ્લોમેસીથી આ મુદ્દાનું સમાધાન લાવવામાં આવશે.ચાઇનીઝ સેન્ટ્રલ ટીવી CCTVએ ચીનના પ્રોગ્રામ પર જાણકારી આપતા જણાવ્યું કે સ્નાઈપર એટેક, લાઈટ આર્મ્ડ વ્હિકલ અટેક અને એન્ટી રોકેટની મદદથી યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો છે.
ભારતે સતર્ક રહેવાની જરૂર
એક તરફ બેઠકમાં શાંતિવાર્તા જ્યારે બીજી ચીન તરફ કરવામાં આવી રહેલ યુદ્ધાભ્યાસ બાદ નિષ્ણાતોનું માનવું છે કે ભારતે હવે સતર્ક થઇ જવાની જરૂર છે. ભારતના રક્ષા વિશેષજ્ઞ નીતિન ગોખલે ટ્વીટ કરીને કહ્યું કે 'ચીન એવી ધારણા બનાવવાના પ્રયત્ન કરી રહ્યું છે કે તેના સૈનિકો ઉંચાઈવાળા ક્ષેત્રોમાં પણ યુદ્ધ કરી શકે છે. આપણે પણ તેની જ ચાલથી આગળ વધવું જોઈએ.'