ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય રણ સરહદ પાસે ચીની સૈના તૈનાત થઈ છે. કચ્છથી 90 કિલોમીટર દુર પાકિસ્તાનના થરપારકર જિલ્લામાં કોલસાની ખાણની સુરક્ષા માટે આ સૈના તૈનાત કરાઈ છે. આ ખાણની સુરક્ષા માટે પીપલ્સ લીબ્રેરેશન આર્મીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
મહત્વનુ છે કે, ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અંતર્ગત સિંધ અને બલુચિસ્તાનમાં ચીનના અનેક પ્રોજેક્ટ ચાલુ છે. આમ હવે ચીનના સૈનિક તૈનાત થતા સરહદે ચીની દળોની હલચલથી ભારતીય સેના એલર્ટ થઈ છે. મહત્વનુ છે કે, ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર 3 હજાર કિલોમીટર લાંબો છે.
હાલમાં CPECની સુરક્ષા માટે બન્ને દેશના મળીને કુલ 17 હજાર જેટલા આર્મીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 4 હજાર જવાનોનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલાને બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો વધુ વણસ્યાં છે. પુલવામા હુમલા બાદ ભારત દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. પુલવામા હુમલામાં ભારતના 40 જવાન શહીદ થયા હતા.
જ્યારે બીજી તરફ જમ્મૂ-કાશ્મીર છેલ્લા 72 કલાકથી સેના-આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જેમાં સેનાએ છેલ્લા 48 કલાકમાં આઠ આતંકીઓને ઠાર માર્યા છે. આમ હવે ગુજરાતની કચ્છની સરહદ પાસે ખાણની સુરક્ષા માટે પીપલ્સ લીબ્રેરેશન આર્મીના જવાનો તૈનાત કરવામાં આવતા ભારતીય સેના એલર્ટ થઇ છે.