ચીનનું કહેવું છે કે બધા જ દોષીઓને તરત જ પકડી લેવામાં આવે અને તરત જ તેમને પકડીને કડકમાં કડક સજા આપવામા આવે.
ચીને પાકિસ્તાનમાં થયેલ વિસ્ફોટના તપાસના આદેશ આપ્યા
વિસ્ફોટમાં 9 ચીની શ્રમિકો સહિત કુલ 13 લોકોના મોત થયા
પાકિસ્તાને કહ્યું આ વિસ્ફોટ યાંત્રિક રીતે થયો
ચીને પાકિસ્તાનમાં થયેલ વિસ્ફોટના તપાસના આદેશ આપ્યા
ચીને પાકિસ્તાનમાં થયેલ વિસ્ફોટના તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિસ્ફોટમાં 9 ચીની શ્રમિકો સહિત કુલ 13 લોકોના મોત થયા છે. ચીનના વરિષ્ઠ નેતા વાંગ યીએ પાકિસ્તાનમાં તપાસના આદેશ આપ્યા છે અને સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાનો આગ્રહ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે આ ઘટનાથી પાકિસ્તાને શીખ લેવી જોઈએ. ચીન અને પાકિસ્તાન વચ્ચે નક્કી થયેલ પરીયોજનાઓ માટે સુરક્ષા માટેના પગલાં વધુ મજબૂત કરવા જોઈએ.
વિસ્ફોટમાં 9 ચીની શ્રમિકો સહિત કુલ 13 લોકોના મોત થયા
બુધવારે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખતુંખા વિસ્તારમાં વિસ્ફોટના કારણે એક બસ ઊંડી ખીણમાં ખાબકી હતી, આ વિસ્તારમાં ચીનના એન્જનીયરો રોડ પરિયોજના પર કામ કરી રહ્યા હતા. આ વિસ્ફોટમાં 9 નાગરિક સહિત 13 લોકોના મોત થયા હતા. ચીનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ વિસ્ફોટ બોમના કારણે થયો છે જ્યારે પાકિસ્તાનનું કહેવું છે કે આ વિસ્ફોટ યાંત્રિક ખામીને કારણે ગેસ લીકેજ થવાથી થયો.
પાકિસ્તાને કહ્યું આ વિસ્ફોટ યાંત્રિક રીતે થયો
પાકિસ્તાનનો ખાસ સંબંધ ચીન સાથે છે અને તે પાકિસ્તાનમાં ઘણું આર્થિક રોકાણ પણ કરી રહ્યું છે. પણ આ ઘટનાને કારણે તે પોતાના રોકાણને લઈ ફરી એક વિચાર કરશે. ચીનના રાજકીય નેતાએ કહ્યું કે જો ખરેખર આ એક આંતકી હુમલો છે તો પાકિસ્તાને આ બધા જ દોષીઓને તરત જ પકડી લેવામાં આવે અને તરત જ તેમને પકડીને કડકમાં કડક સજા આપવામા આવે. સાથે જ તેમણે કહ્યું કે આ ઘટનાથી પાકિસ્તાને શીખ લેવી જોઈએ. ચીન અને પાકિસ્તાન વચ્ચે નક્કી થયેલ પરીયોજનાઓ માટે સુરક્ષા માટેના પગલાં વધુ મજબૂત કરવા જોઈએ.