જીવલેણ વાયરસ કોરોના એ ચીનમાં હાહાકાર મચાવ્યો છે. જેને કારણે ચીનના ભારત જેવા પડોશી દેશો પણ ચિંતિત છે. ભારત સરકારે પણ કોરોના વાયરસ ની અસર ને કારણે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. લોકોને ચીનની મુલાકાત ટાળવા અપીલ કરી છે. આમ ચીનમાં કોરોના વાયરસની વર્તાઈ રહેલી અસરની આડ અસર વાપીના ઉદ્યોગ પર પણ પડી છે. કોરોના વાયરસની કારણે ઉદ્યોગપતિઓ ચીન જવાનું ટાળી રહ્યા સાથે જ ચીનથી આવતા અને જતા શિપમેન્ટ પણ અટકી ગયા છે જેથી ચીન થી વાપી ના ઉદ્યોગો ને મળેલા મોટા ઓર્ડર પણ અટક્કી ગયા છે.
ચીનમાં કોરોના વાયરસના કારણે વલસાડના ઉદ્યોગ પર અસર
વાપીના ઉદ્યોગપતિઓ ટાળી રહ્યા છે ચીનની મુલાકાત
ભારત સરકારે જાહેર કરી છે એડવાઈઝરી
વેપારીઓને મળી રહ્યા છે માસ્ક,એન્ટી બાયોટિક, સાબુના ઓર્ડર
જીવલેણ કોરોના વાયરસ એ ચીનમાં હાહાકાર મચાવ્યો છે. જેના કારણે હજારો કિલોમીટર દૂર આવેલા વાપીના ઉદ્યોગોને પણ આ વાયરસ ની આડ અસર થઈ રહી છે. વાપી અને આસપાસના વિસ્તારમાં ધમધમતા નાના મોટા હજારો ઉદ્યોગો ચીન સાથે વ્યાપારિક સંબંધ ધરાવે છે. આથી અત્યારે કોરોના વાયરસની અસર ને કારણે વાપીના ઉદ્યોગોને તેની આડ અસર થઈ રહી છે.
કોરોના વાયરસ ( coronavirus )ની જીવલેણ અસરને કારણે ભારત સરકારે પણ તકેદારીના પગલારૂપે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. અને લોકોને ચીનની મુલાકાત થોડા સમય સુધી ટાળવા સૂચન કરી કર્યું છે. જેને કારણે વાપીના ઉદ્યોગપતિઓએ પોતાની ચીનની બિઝનેસ ટ્રીપો કેન્સલ કરી રહ્યા છે. સાથે જ ચીન અને ભારત વચ્ચેના શિપમેંટ ને પણ અસર થઈ રહી હોવાથી વાપીના ઉધોગોને કોરોના વાયરસની અસર વર્તાઈ રહી છે.
વાપીની અનેક કંપનીઓ ચીન સાથે વ્યાપારિક સંબંધ ધરાવે
મહત્વપૂર્ણ છે કે વાપીની અનેક કંપનીઓ ચીન સાથે વ્યાપારિક સંબંધ ધરાવે છે. જો કે અત્યારે કોરોના વાયરસની અસર વચ્ચે જ વાપીને કેટલીક કંપનીઓને ચીનથી કોરના વાયરસની અસર ને લગતા જ ઓર્ડર મળી રહ્યા છે.
ચીન અને ભારત વચ્ચેના શિપમેન્ટ પણ અટકી પડતા મુશ્કેલી
વાપીના જ એક ઉદ્યોગપતિને હોંગકોંગથી કોરોના વાયરસની અસરથી બચવા માટેની જરૂરી એન્ટીબાયોટિક અને માસ્ક અને સાબુ સહિતની ચીજવસ્તુઓ ના મોટી માત્રામાં ઓર્ડર મળી રહ્યા છે. પરંતુ ચીન અને ભારત વચ્ચેના વ્યાપારિક સંબંધો ને કોરોના વાયરસની અસર ને કારણે અસર થઈ રહી છે. જેથી ચીન અને ભારત વચ્ચેના શિપમેન્ટ પણ અટકી રહ્યા છે. જેના કારણે વાપીના અનેક ઉદ્યોગો ને ચીન થી મળેલા ઓર્ડર પણ અટકી ગયા છે. આથી વાપીના ઉદ્યોગપતિઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
વાપીના ઉદ્યોગ પર તેની આડ અસર
આમ ભારત અને વાપીથી હજારો કિલોમીટર દૂર આવેલા ચીનમાં કહેર વરસાવી રહેલા કોરોના વાયરસની હાહાકારની આડઅસર વાપીના ઉધોગ પર પડી રહી છે. આથી જ્યાં સુધી ચીનમાં કોરોના વાયરસની અસર રહેશે ત્યાં સુધી વાપીના ઉદ્યોગ પર તેની આડ અસર વર્તાશે. આથી ચીનમાં કોરોના વાયરસ નો પ્રકોપ જેમ બને તેમ જલ્દી ખતમ થાય તેવું વાપીના ઉદ્યોગપતિઓ ઈચ્છી રહ્યા છે.