ચીન (China)થી શરૂ થયેલા કોરોના વાયરસ (Coronavirus)ની ઝપેટમાં ભારત (India) સહિત દુનિયાના લગભગ બે ડઝનથી વધુ દેશ છે. ચીનમાં અત્યાર સુધીમાં 563 લોકોના મોત થઇ ચૂક્યા છે અને લગભગ 28 હજાર લોકોમાં સંક્રમણની પુષ્ટી થઇ છે. ત્યારે ચીનમાં પણ એ ડૉક્ટરનું મૃત્યું થયું છે જેણે સૌથી પહેલા કોરોના વાયરસ અંગે ચેતવણી આપી હતી.
ચીની ડૉક્ટરે આપી હતી કોરોના વાયરસની ચેતવણી
ડોક્ટર લી વેનલિયાંગનું પણ કોરોના વાયરસના ચેપ લાગવાથી મોત થયું
ભારત સહિત દુનિયાના લગભગ બે ડઝનથી વધુ દેશ કોરોના વાયરસની ઝપેટમાં
ચીની ડૉક્ટર લી વેનલિયાંગ એ 8 લોકોમાંથી એક હતા જેમણે સૌથી પહેલા કોરોના વાયરસ અંગે ચેતવ્યા હતા. જોકે, એ સમયે તેમની વાતોને ગંભીરતાથી લેવામાં આવી નહોતી અને સ્થાનીય પોલીસે પણ તેમને ફટકાર લગાવી હતી. જ્યારે વુહાનમાં ગુરુવારે ડોક્ટર લી વેનલિયાંગનું પણ કોરોના વાયરસના ચેપ લાગવાથી મોત થઇ ગયું હતું.
ડૉક્ટર લીએ ગત વર્ષે 30 ડિસેમ્બરે જ કોરોના વાયરસથી ચેતવ્યા હતા. તેઓએ પોતાના મેડિકલ સ્કૂલના ઓનલાઇન એમ્યુમની ચેટ ગ્રુપમાં જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં 7 દર્દીઓ આવ્યા છે જેમાં સાર્સ જેવી બીમારીના લક્ષણ જોવા મળ્યા છે. લીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસના મુળીયા ચીનમાં ઘણા જુના છે. વર્ષ 2003માં પણ આ વાયરસથી સેંકડો લોકોના જીવ ગયા હતા.
ચીની સ્વાસ્થ્ય અધિકારીઓએ ગુરુવારે કહ્યું કે, દેશમાં રહી રહેલા 19 વિદેશી નાગરિકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી થઇ છે. જોકે, સંક્રમિત નાગરિકોની નાગરિકતા વિશે ખુલાસો કરવામાં આવ્યો નથી. ચીનમાં કોરોના વાયરસથી 563 લોકોના મોત થયા છે અને કુલ 28,018 લોકોમાં સંક્રમણની પુષ્ટી થઇ છે. બુધવારે દેશમાં 73 લોકોના મોત થયા. જે અત્યાર સુધીમાં એક દિવસમાં મરનારની સૌથી વધારે સંખ્યા છે.
ભારતે પોતાના નાગરિકને બહાર નીકાળ્યા
ભારત અને અન્ય ઘણા દેશ હુબેઇ પ્રાન્ત અને વુહાનથી પોતાના હજારો નાગરિકોને બહાર નીકાળ્યા છે. ભારતે 647 ભારતીય નાગરિકો અને 7 માલદીવના લોકોને હવાઇ માર્ગથી ચીનથી બહાર લાવ્યું છે. લગભગ 100 ભારતીય નાગરિકો હુબેઇમાં જ રહી રહ્યા છે અને 10 તાવને પગલે ફ્લાઇટમાં ચઢી શક્યા નહોતો.