ભારતીય સરહદ સુધી ઝડપથી પહોંચવા માટે ચીની સેનાએ પેગોંગ ત્સો લેકના તેની માલિકીના વિસ્તારમાં એક બ્રીજ બનાવવાનું શરુ કર્યું છે.
ભારતીય સરહદે ચીને તેના વિસ્તારમાં બ્રીજ બાંધવાનું શરુ કર્યું
પેગોંગ ત્સો લેક પર બ્રીજ બાંધવાનું શરુ
સેટેલાઈટ ઈમેજમાં ખુલાસો થતા હડકંપ
ભારતીય સરહદ સુધી ઝડપી પહોંચવા માટે ચીને આ કામ કર્યું
ભારત સરહદે નાપાક હરકત માટે જાણીતા ચીને હવે વધુ એક હરકત કરી છે. ચીની સેનાએ તેના વિસ્તાર પેગોંગ ત્સો લેક પર પુલ બાંધવાનું શરુ કર્યું છે. આ પુલ બંધાયા બાદ ચીની સેના ઝડપથી ભારતીય સરહદ સુધી પહોંચી જશે. હાલમાં ચીની સેનાએ અહીં પહોંચતા 200 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. એક વાર આ બ્રીજ બની ગયા બાદ ચીની સેના માટે 40થી 50 કિલોમીટરનું અંતર ઘટી જશે જે અંતર માટે ચીની સેનાને 8 કલાક લાગે છે તે બ્રીજ બનતા 2 કલાકમાં પુરુ થઈ જશે એટલે ચીને આ કામ હાથમાં લીધું છે.
Media reports of #PangongTso allege a new bridge is under construction connecting the north & south bank of the lake, in turn enhancing road connectivity for #China's troops in the area, GEOINT of the area identifies the location & progress of the alleged structure https://t.co/b9budT3DZZpic.twitter.com/IdBl5rkDhR
ઓગસ્ટ 2020માં ભારતીય સેના ચીની સેનાને હંફાવીને પેગોંગ ત્સો લેકના દક્ષિણ હિસ્સામાં આવેલી તમામ પહાડીઓ કબજે કરી લીધી હતી, ભારતના આ કામથી ગભરાઈને ચીને હવે બ્રીજ બાંધવાનું શરુ કર્યું છે. હાલમાં આ બ્રિજ અંડર કન્ટ્રક્શન છે. આ ખુર્નાકથી રૃદોક સુધી બનાવવામાં આવશે.
બ્રીજના પાર્ટ્સ તૈયાર, ફક્ત જોડવાના બાકી
રિપોર્ટ અનુસાર લેકનો આ ભાગ ઘણો સાંકડો છે. ચીની સેનાના એન્જિનિયરે બ્રીજના ભાગ તૈયાર કરી લીધા છે અને નક્કી કરેલી જગ્યાએ તેને જોડશે. પેગોંગ ત્સો લેક 135 કિલોમીટરમાં ફેલાયેલી છે. તેનો કેટલોક હિસ્સો લદ્દાખ તો કેટલોક તિબેટમાં આવી છે. આ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે મે 2020 થી ઝગડો ચાલી રહ્યો છે.નોંધપાત્ર બાબત એ છે કે, ગયા વર્ષે બંને સેનાઓ વચ્ચે અથડામણનો મુખ્ય મુદ્દો આ વિસ્તાર હતો. હવે એવું કહેવામાં આવે છે કે તળાવ પરનો પુલ ચીની સૈનિકો અને લોજિસ્ટિક્સ માટે ત્યાં પહોંચવામાટે અનેક માર્ગો ખોલશે. પુલના નિર્માણ પરનો સેટેલાઇટ ફોટો જીઓ ઇન્ટેલિજન્સ નિષ્ણાત ડેમિયન સિમોન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. તેમણે સંકેત આપ્યો છે કે ચીન કદાચ પૂર્વી લદ્દાખના પેન્ગોંગ તળાવ પર પુલ બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ સૂચવે છે કે પુલ તળાવના સાંકડા રસ્તા પર લગભગ સંપૂર્ણપણે બનાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બાંધકામ થોડા મહિનાઓથી ચાલી રહ્યું છે.