કોરોના મહામારીમાં ચીને ભારતની ફ્લાઈટ્સ પર અનિશ્ચિત સમય સુધી પાબંધી લગાવી છે. બ્રિટન, બેલ્જિયમ અને ફિલિપાઈન્સથી આવતા લોકો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ સિવાય વંદે ભારત હેઠળ એર ઈન્ડિયાની અવરજવર પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોનાના ડરથી ચીન ફ્લાઈટો પર પ્રતિબંધ મૂકી રહ્યું છે. ચીની વિદેશ મંત્રાલયે અનેક દેશથી આવતા વિદેશી નાગરિકો પર પણ રોક લગાવી છે. એટલે કે ચીનમાં કોઈપણ પ્રકારના વિઝા કે પરમિટ ધારકોને એન્ટ્રી નહીં મળે.
કોરોનાથી ડર્યું ડ્રેગન
ભારતની ફ્લાઈટો પર લગાવ્યો પ્રતિબંધ
ચીની વિઝા કે પરમિટ હોવા છતાં એન્ટ્રી નહીં
વંદે ભારત ફ્લાઈટ પર પણ પ્રતિબંધ
આ સાથે ચીને વંદે ભારતના આધારે એરઈન્ડિયાની અવરજવર પર પણ રોક લગાવી છે. પહેલાં ચીને વંદે ભારતના આધારે ફ્લાઈટની પરમિશન આપી હતી પણ હવે તેની પર રોક લગાવી છે. 6 નવેમ્બરથી વંદે ભારત મિશનના આધારે જે પણ ફ્લાઈટ ચીન જવાની હતી તેને રિશિડ્યુલ કરાશે. જોકે તેની નવી તારીખ ચીનની સરકારની નવી અનુમતિ બાદ જ નક્કી કરાશે.
ચીનમાં પ્રવેશ પર રોક
ચીની વિદેશ મંત્રાલયે ગુરુવારે અનેક દેશના બિન ચીની મહેમાનોના ચીનમાં પ્રવેશ પર રોક લગાવી છે. તેમાં બ્રિટેન, બેલ્જિયમ અને ફિલિપિન્સ સામેલ છે. જ્યારે ચીને ફ્રાન્સ, જર્મની અને અમેરિકાના યાત્રીઓના પ્રવેશ માટે સ્વાસ્થ્ય પરીક્ષણના પરિણામ રજૂ કરવા કહ્યું છે.
કોઈ પણ પ્રકારના વીઝા કે પરમિટ વાળા વ્યક્તિઓને પણ એન્ટ્રી નહીં
ચીની વિદેશ મંત્રાલયે ગુરુવારે એક બ્રિફિંગમાં કહ્યું તે ચીન અનેક દેશોની પ્રેક્ટિસ પર ધ્યાન આપી રહ્યું છે અને બદલાતી મહામારીની સ્થિતિના આધારે ચીનમાં પ્રાસંગિક લોકોના પ્રવેશને સમમાયોજિત કરી રહ્યું છે.