ચીન પોતાના દેશમાં ઇન્ટરનેટ પર પ્રદર્શિત થતા પ્રખ્યાત 'વોશિગ્ટન પોસ્ટ' અને 'ગાર્ડિયન'ના લેખો પર પ્રતિબંધ મુક્યો છે. જોકે ગત સપ્તાહ સુધીમાં સાઇટ ચીની લોકોની પહોંચમાં હતી. આ પહેલા ચીને બ્લૂમબર્ગ, ન્યુયોર્ક ટાઇમ્સ, રાયટર્સ અને ધ વોલસ્ટ્રીટ જનરલ પર પ્રતિબંધ મુકી ચૂક્યો છે.
ચીન કોઇપણ પ્રકારના રાજનૈતિક સંકટથી બચવા માટે પગલુ ઉઠાવી રહ્યું છે. ચીને આ પ્રતિબંધ એટલા માટે લગાવ્યો છે કે જેથી તેના નાગરિક એ ન જાણી શકે કે દુનિયા એમના દેશમાં ચાલી રહેલી ગતિવિધિઓ વિશે શું વિચારે છે.
આપને જણાવીએ કે હાલમાં જ 4 જૂનના રોજ તિયાનમેન નરસંહારની 30મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. આ દરમિયાન ચીન તેના સંબંધિત કીવર્ડ અને તસવીર સોશિયલ મીડિયા સાઇટ વી-ચેટથી ડિલીટ કરી નાંખી છે. 30 વર્ષ પહેલા ચીનમાં લોકતંત્રના સમર્થનમાં થયેલા પ્રદર્શનમાં નિર્દોર્ષ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. પરંતુ ચીન તેના પર ચુપ્પી સાધીને રહે છે. ચીન આ પહેલા ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સએપ જેવી સોશિયલ સાઇટ પર પ્રતિબંધ મુકી ચૂક્યું છે.
જ્યાં એક તરફ અમેરિક 1989 ના આંદોલનને સાહસિક બતાવતા તેની પ્રશંસા કરે છે ત્યારે બીજી તરફ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ઇચ્છે છે કે નરસંહારની વર્ષગાઠ અતીતનો હિસ્સો બનીને રહી જાય. આ દિવસે ચીની સેનાએ નિર્દોષ લોકો પર ફાયરિંગ કરીને તેમની હત્યા કરી નાંખી હતી. સરકારી રિપોર્ટ તેમા સેંકડો લોકોના મૃત્યું પામ્યા હોવાની વાત રજુ કરતી હતી, જ્યારે એક જાસુસી બ્રિટિશ રાજનૈતિક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે આ નરસંહારમાં 10 હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો.