ચીન મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરી દેવામાં કાબેલ છે. પણ હવે ચીનમાં ઊંચી ઊંચી ઇમારતો બનાવવા પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે. જાણો શું છે આ પાછળનું કારણ
ચીનમાં ઊંચી ઊંચી ઈમારતોના નિર્માણ પર પ્રતિબંધ
50 મીટરથી ઊંચી ઈમારતો ઊભી કરી શકાશે નહી
71 માળની ઇમારત વારંવાર ધ્રૂજી
ગગનચૂંબી ઈમારતોના નિર્માણ પર પ્રતિબંધ
ગગનચુંબી ઇમારતો એ ચીનની આગવી ઓળખ છે. કેમકે આ ઇમારતોના નિર્માણમાં ચીનની ટેકનોલોજી, કુશળ એન્જિનિયરિંગ અને વાસ્તુકળાના દર્શન થાય છે. પરંતુ હવે ચીનમાં હવે ખૂબ ઊંચી ગગનચુંબી ઈમારતોનું નિર્માણ થઈ શકશે નહીં.આ સમાચાર સાંભળીને તમને આંચકો લાગશે પરંતુ વાત સાચી છે. કેમ કે, ચીને હવે વધારે પડતી ઊંચી ગગનચૂંબી ઈમારતોના નિર્માણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ચીનના આવાસ અને શહેરી ગ્રામીણ વિકાસ મંત્રાલયે ફરમાન કર્યું છે કે, હવે થી વિશેષ મંજૂરી વગર 30 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં 150 મીટરથી ઊંચી ઈમારતો ઊભી કરી શકાશે નહી. તો 30 લાખથી વધારે વસ્તીવાળા શહેરોમાં 250 મીટરથી ઊંચી બિલ્ડિંગના નિર્માણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે
150 મીટરથી ઊંચી ઈમારતો નહીં
હવે ચીનમાં હવે ખૂબ ઊંચી ગગનચુંબી ઈમારતોનું નિર્માણ થઈ શકશે નહીં.આ સમાચાર સાંભળીને તમને આંચકો લાગશે પરંતુ આ વાત સાચી છે. કેમ કે, ચીને હવે વધારે પડતી ઊંચી ગગનચૂંબી ઈમારતોના નિર્માણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીનના આવાસ અને શહેરી ગ્રામીણ વિકાસ મંત્રાલયે ફરમાન કર્યું છે કે, હવે થી વિશેષ મંજૂરી વગર 30 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં 150 મીટરથી ઊંચી ઈમારતો ઊભી કરી શકાશે નહી.
આપને જણાવી દઈએ કે, ચીનમાં પહેલાથી જ 500 મીટર કરતાં વધારે ઊંચી ઈમારતનું નિર્માણ પ્રતિબંધિત છે. પરંતુ આ નવા નિયમ વધારે કડક છે. નવા નિયમ મુજબ પ્રતિબંધિત ઈમારતોના નિર્માણની મંજૂરી આપનાર અધિકારીને `આજીવન જવાબદાર' ઠેરવવામાં આવશે. અંધાધૂંધ નિર્માણ થશે તો અધિકારીઓને કોઈપણ પ્રકારની સજા આપવામાં આવી શકે છે. આપને જાણ હશે જ કે ચીનમાં દુનિયાની સૌથી ઊંચી ઈમારતોમાની અનેક ઈમારતો છે. જેમાં 632 મીટર ઊંચો શંઘાઈ ટાવર અને શેનઝેનનો 599.1 મીટર પિંગ આન ફાઇનાન્સ સેન્ટર સામેલ છે
કેમ મૂક્યો પ્રતિબંધ
આપને સવાલ થતો હશે કે, ચીને ઊંચી બિલ્ડિંગના નિર્માણ પર પ્રતિબંધ કેમ મૂક્યો? તો જણાવી દઈએ કે, ચીનના સ્થાનિક અધિકારીઓ અંધાધૂંધ નિર્માણ પર આંખ આડા કાન કરી રહ્યા છે. તેઓ બાંધકામની વ્યાવહારિકતા અને સુરક્ષાના પાસાં પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યા છે. આથી જ તો કેટલાક મહિના પહેલા શેનજેનમાં 356મીટર ઊંચી 71 માળની ઇમારત વારંવાર ધ્રૂજી ઉઠવાનો બનાવ સામે આવ્યો હતો. જેના કારણે લોકોના જીવ પડીકે બંધાયા હતા, અને નાસભાગ સાથે અફરાતફરી મચી ગઈ હતી. તપાસ દરમિયાન એ ધ્યાનમાં આવ્યું હતું કે, ઈમારત ધ્રજી ઉઠવાનું કારણ એ હતું કે તેના પર 50 મીટર કરતાં પણ વધારે ઊંચો એક પિલ્લર હતો, જે સૂસવાટાભર્યા પવનના કારણે હલવા લાગ્યો હતો. એ દુર્ઘટના બાદથી જ ચીનમાં 500મીટર કરતાં ઊંચી ઈમારતના નિર્માણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. શેનજેનની એ ઇમારત પરથી પિલ્લર હટાવી લીધા બાદ જ તેને સપ્ટેમ્બરમાં ફરીથી ખોલવામાં આવી હતી