ગત વર્ષે જૂન મહિનામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના પક્ષે 20 જવાનો શહીદ થયા હતા અને અનુમાન પ્રમાણે ચીનના 35થી વધુ સૈનિકો માર્યા ગયા હતા.
ગલવાન હિંસાને લઇને ચીનના નિવેદન પર ત્યાંનાં જ પત્રકારોને ભરોસો નથી
ચીન સરકારે તાજેતરમાં એક નિવેદનમાં ગલવાન હિંસામાં શહીદ થયેલા સૈનિકોની સંખ્યા દર્શાવી હતી
15 જૂને થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા, ચીનના 35થી વધુ મરાયાનું અનુમાન
ચીન દ્વારા તાજેતરમાં જ થોડા સમય પહેલા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો, જે એક પ્રકારનો પ્રોપગેંડા વિડીયો હતો, જેમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ગલવાન ખીણની અથડામણ વાળી ઘટનાના વિઝ્યુઅલસ દેખાડવામાં આવ્યા છે, અને ચીન દ્વારા તાજેતરમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે આ અથડામણમાં તેના 4 સૈનિકો શહીદ થયા હતા, જો કે આ આંકડાઓ પર અન્ય કોઈ વિશ્વાસ કરે કે ન કરે પણ સામ્યવાદી ચીનના પત્રકારો પણ વિશ્વાસ નથી કરી રહ્યા.
ચીની પત્રકારોને જ નથી તેમની સરકાર પર ભરોસો
કેટલાક ચીની પત્રકારોએ મૃત્યુ પામેલા સૈનિકોની સંખ્યા પર શંકા ઉઠાવતા પ્રશ્નો ઉભા કર્યા હતા, આ અહેવાલમાં આવેલા કેટલાક અહેવાલો અનુસાર જેના જવાબમાં ચીને પોતાના દેશના ત્રણ પત્રકારોની ધરપકડ કરી છે. આ પત્રકારો પર સેનાની શહાદતનું અપમાન કરવાનો આરોપ મૂકાયો છે.
ધરપકડ કરાયેલા ત્રણ લોકોમાં કિયુ જિમિંગનું નામ પણ છે. ઈકોનોમિક ઓબઝર્વર સાથે કામ કરતા 38 વર્ષીય કિયુની આંકડા જાહેર થયા બાદ શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે એક અમેરિકન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ અથડામણમાં ઓછામાં ઓછા 35 ચીની સૈનિકો માર્યા ગયા છે અને કઈંક આવી જ માહિતી ચીનના નજીકના સાથીદાર મનાતા રશિયાની એક રિપોર્ટમાં પણ કરવામાં આવ્યો હતો, નોંધનિય છે કે આનાથી ચીનની પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચ્યું છે.
ચીની પત્રકારોની ધરપકડ કરવામાં આવી
કિયુએ સોશિયલ મીડિયા પર ચીનના આંકડા વિશે ટિપ્પણી કરી હતી. આ સાથે, તેમણે આટલા મોડાથી આ ડેટા પ્રકાશિત થવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, "ભારતના દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે તો તે જીતી પણ ગયા અને કિંમત પણ ઓછી ચૂકવી." જેના પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા અન્ય બે બ્લોગર્સ હતા. મહત્વનું છે કે ચીની સેનાએ શુક્રવારે કહ્યું હતું કે આ અથડામણમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા અને એક સૈનિકનું પછીથી મોત નીપજ્યું હતું. ગયા વર્ષે 15 જૂને બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, ત્યારબાદ બંને દેશોમાં તણાવ અનેકગણો વધી ગયો હતો.