એક નંબર વગરની ગાડીએ ગઈકાલ રાતે ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર આતંક મચાવ્યો હતો. બે બાઈક સવાર અને એક હાથલારીને કચડીને આ લક્ઝુરિયસ ગાડીએ બે યુવકોને કચડી માર્યા હતા.
અકસ્માતમાં બેના મોત
કારચાલકનો બચાવ
કાર કાળ બનીને તેમને ભરખી ગઈ
હાઈવે પર પૂરપાટ ઝડપે દોડી આવતી મોંઘી કાર પૂજાપાની લારી સાથે અથડાઈ હતી અને પછી બાઈક સાથે ભીડાઈ હતી જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતુ જ્યારે બીજા યુવાનનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતુ.
કાર કાળ બનીને તેમને ભરખી ગઈ
મૃતકો દહેગામના રણછોડપુરા ગામના વતની હતા જેમનું નામ જુગાજી પરમાર અને કલ્યાણ સોલંકી હતુ અને તેઓ કલરકામ કરી પેટીયુ રડતા હતા ત્યારે ગઈકાલે રાતે કામ પરથી પરત ફરતા કાર કાળ બનીને તેમને ભરખી ગઈ હતી.
શું કારચાલક દારૂના નશામાં હતો?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી યુવક જિનેશ મુકેશભાઈ ટોડિયા ( ઉ.વ. 28) મૂળ રાજકોટનો છે અને પાંચ વર્ષથી બોપલ વિસ્તારમાં રહે છે. અકસ્માતને પગલે હાલ તો ચિલોડા પોલીસે તેની અટકાયત કરીને તેનો કોરોના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, સાથેસાથે તે ખરેખર દારૂ પીને કાર ચલાવતો હતો કે નહીં એની તપાસ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે.