AIIMS ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે જે જગ્યાએ પોઝિટિવીટી રેટ ઓછો છે ત્યાં સ્કૂલો શરુ કરી શકાય છે.
AIIMS ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ આપ્યા દરેક સવાલના જવાબ
પોઝિટિવીટી રેટ ઓછો હોય ત્યાં સ્કૂલો શરુ કરી શકાય
તમામ બાળકોને વેક્સિનેટ કરવામાં 9 મહિનાનો સમય લાગી શકે
તેમણે કહ્યું કે દરેક પાસે ઓનલાઈન ભણવાની સુવિધા હોતી નથી તેથી સ્કૂલો ખોલવી જરુર છે. જે સ્કૂલોમાં તમામ ટીચરને વેક્સિન લાગી ચૂકી છે ત્યાં સ્થિતિ સૌથી વધારે અનુકૂળ રહેશે. તેમણે તમામ ટીચર્સે અપીલ કરી કે તેઓ આગળ આવે અને વેક્સિન લગાડે.
વેક્સિનેશન પર શુ બોલ્યાં ગુલેરિયા
ગુલેરિયાએ જણાવ્યું કે દેશના તમામ બાળકોને વેક્સિનેટ કરવામાં 9 મહિનાનો સમય લાગી શકે છે તેથી લાંબા સમય સુધી સ્કૂલો બંધ ન રાખવી જોઈએ. તેમણે કહ્યું કે દેશે ત્રીજી લહેર અંગે પહેલેથી તૈયારી કરી રાખી છે.
બુસ્ટર ડોઝ પર ગુલેરિયાનો જવાબ
રણદીપ ગુલેરિયાએ વેક્સિનેશન પર પણ મોટી માહિતી આપી. તેમણે કહ્યું કે એક વર્ષની અંદર દેશના તમામ લોકોને વેક્સિન મળી જશે. તેમનું માનવું છે કે સરકાર સમયાનુસાર તેમનો ટાર્ગેટ પૂરો કરી લેશે. તેમણે કહ્યું કે બધા દેશોને બૂસ્ટર ડોઝની જરુર નથી.
એમ્સ ડિરેક્ટરે એવું પણ જણાવ્યું કે ડબલ્યુએચઓ દ્વારા ટૂંક સમયમાં કોવેક્સિનને મંજૂરી મળી શકે છે. જો આવું થાય તો વિદેશ જવાની પ્રતિક્ષા કરી રહેલા લોકોને મોટી મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે દેશના ઘણા રાજ્યોમાં શાળાઓ શરુ થઈ રહી છે. હવે દેશના ટોચના ડોક્ટર રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું છે કે જ્યાં પોઝિટિવીટી રેટ ઓછો હોય ત્યાં શાળાઓ ખોલવામાં કોઈ વાંધો નથી.