દેશમાં કોરોનાના કેસો લગભગ નહીંવત થયાં છે, જેની પાછળ મોટા પાયે વેક્સિનેશન પણ ક્યાંકને ક્યાંક જવાબદાર છે, ત્યારે બાળકો માટેની વેક્સિનને લઈને પણ હાલમાં એક મોટા સમાચાર આવ્યા છે.
12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નહીં લાગે વેક્સિન
સ્વાસ્થ્ય મંત્રાલયે લીધો નિર્ણય
ફક્ત આ બાળકોને આપી શકાય વેક્સિન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નિર્ણય લીધો છે કે, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોરોના વેક્સિન લગાવામાં નહીં આવે. જો કે, તેના વિશે હજૂ સુધી કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી, હાલની સ્થિતિ જોતા આ નિર્ણય થઈ ચુક્યો છે. હાલમાં દેશમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વેક્સિન લાગતી નથી.
સૂત્ર એવું પણ જણાવે છેકે, નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન સરકારને સલાહ આપનારી છે કે, 12 વર્ષથી ઓછી ઉંમરના ફક્ત એ બાળકોને જ વેક્સિન આપવામાં આવે, જેમને પહેલાથી કોઈ ગંભીર બિમારી છે.
બે કંપનીઓએ સરકાર પાસે મંજૂરી માગી
વેક્સિન બનાવતી બે કંપનીઓ સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયા અને બાયોલોજિકલ-ઈએ કેન્દ્ર સરકારને 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વેક્સિનની મંજૂરી માગી છે. કંપનીઓએ બાળકો પર ટ્રાયલના પરિણામો પણ સરકારને બતાવ્યા છે.
આ પ્રસ્તાવ પર હેલ્થ મિનિસ્ટ્રીએ એક્સપર્ટ્સ સાથે ચર્ચા કરી છે. તેમાં જાણવા મળ્યું છે કે, દેશમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોરોનાની ત્રણ લહેર દરમિયાન સંક્રમિત થયા, પણ તેમાં ગંભીર લક્ષણો દેખાય નથી. એટલા માટે તેમને વેક્સિન લગાવવી જરૂરી નથી.
દેશમાં 12થી 14 વર્ષના બાળકોને 16 માર્ચથી વેક્સિન લગાવામાં આવી રહી છે. 1.6 કરોડ બાળકોને પ્રથમ ડોઝ લાગી ચુક્યો છે. તો વળી 15થી 17 વર્ષના 5.71 કરોડ બાળકોને પ્રથમ ડોઝ લગાવાઈ ચુક્યો છે.
એક્સપર્ટે કહ્યું- બાળકો સંક્રમણથી બિમાર નથી પડતા
દિલ્હી એઈમ્સના કમ્યુનિટી મેડિસન ડિપાર્ટમેન્ટના ડો. સંજય રાયે જણાવ્યું છે કે, બાળકોને વેક્સિન આપતા પહેલા વૈજ્ઞાનિક આધાર બતાવવો જોઈએ. દુનિયાભરમાં ક્યાંય પણ નાના બાળકોને વેક્સિનની જરૂર નથી. કારણ કે, વેક્સિન સંક્રમણની ગંભીરતાથી બચાવે છે. ન કે સંક્રમણથી. હજૂ સુધી બાળકોમાં સંક્રમણથી ગંભીર લક્ષણ જોવા મળ્યા નથી. કોરોનાથી બાળકોના મોત લગભગ શૂન્ય છે. એટલા માટે તેમને વેક્સિન લગાવવી યોગ્ય નથી.
ICMRના પૂર્વ સાઈંટિસ્ટ ડો. રમણ ગંગાખેડકરે કહ્યું કે, 12થી 14 વર્ષના પણ એજ બાળકોને વેક્સિન આપવી જોઈએ, જેમનામાં પહેલાથી કોઈ ગંભીર બિમારી હોય. બાકી બાળકોને તેની જરૂર નથી. આમ પણ એ સ્પષ્ટ થઈ ગયું છે કે, વેક્સિન સંક્રમણને રોકતું નથી. પણ સંક્રમણ થયાં બાદ બિમારીની ગંભીરતાને ઓછી કરે છે, તો પછી બાળકોને વેક્સિન આપવાની શું જરૂર છે.