ગાંધીનગરઃ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારથી શાળામાં બાળકોની ચકાસણી કરવાનો કાર્યક્રમ શરૂ કરાયો હતો. ત્યારે હવે તેઓ પીએમ બન્યા પછી સમગ્ર દેશમાં આ કાર્યક્રમ શરૂ થયો છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે જણાવ્યું કે આ વર્ષે પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. ગત વર્ષે બાળકોની તપાસ થઈ હતી. ચકાસણી કર્યા પછી બાળકોને જુદા જુદા રોગની સારવાર આપાઇ હતી. 10થી 15 લાખ ખર્ચવાળી સારવાર અપાઈ.
વધુમાં તેમણે કહ્યું કે 27 નવેમ્બરથી 1લી ડીસેમ્બર સુધી આ કાર્યક્રમ શરૂ કરવાના આવશે. કોઈપણ બાળક અને યુવાન ક્યાંય પણ રહેતા હોય તમામ ને સામાં પગલે તપાસવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. 45 દિવસ દરમિયાન ગુજરાતનો એક પણ બાળક 1 દિવસથી 18 વર્ષના છે તેમની તપાસ કરવી અને સરકારી ખર્ચે સારવાર કરવામાં આવશે. સફળતા પૂર્વક કાર્યક્રમ થશે. સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે.