શહીદોનાં બાળકોને શિક્ષા માટે વાર્ષિક વધારેમાં વધારે 10 લાખ રૂપિયા સુઘીની સહાયતા મળશે. સેનાનાં આ પ્રસ્તાવને રક્ષા મંત્રાલયની મંજૂરી મળી ચૂકી છે. ટૂંક સમયમાં જ આ મામલે આદેશ રજૂ થવાની સંભાવના છે. આ જાણકારી સૂત્રો દ્વારા મળી હોવાનું સામે આવ્યું છે.
શહીદ થનારા વીર સૈનિકોનાં બાળકોને સ્કૂલથી લઇને પેશેવર શિક્ષા સુધી ફી અને હોસ્ટેલ ખર્ચની સુવિધા મળે છે. સાતમા વેતન આયોગથી પહેલે સુધી આ ખર્ચની કોઇ જ સીમા ન હોતી.
જે પણ વાસ્તવિક રાશિ હતી તે મળી જતી હતી. પરંતુ સાતમા વેતન આયોગે આને વધારેમાં દસ હજાર રૂપિયાને પ્રતિ માસ કરી દીધાં હતાં કે જેને ગયા વર્ષે લાગુ પણ કરી દેવાયું હતું પરંતુ આ નિર્ણયનો વિરોધ થયો હતો.
પૂર્વ સેના પ્રમુખ બિપિન રાવતે આ મુદ્દાને ઉચ્ચ સ્તર સુધી લઇ જવાની વાત કરી હતી. ગયા દિવસોમાં કમાન્ડર કોન્ફરન્સ દરમ્યાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
ખબર છે કે હવે આ સીમા વધારેમાં વધારે દસ લાખ રૂપિયા સુધી વાર્ષિક કરવામાં આવી રહી છે. નિર્ણયથી શહીદોનાં બાળકોને ખાસ રીતે પેશેવર શિક્ષા લેવામાં આસાની થશે કેમ કે મેડિકલ પ્રબંધન જેવી કોલેજોમાં ફી મોંઘી છે. જો કે આ નિર્ણયનો ફાયદો ત્રણ સેનાઓનાં શહીદોનાં બાળકોને મળશે.