રાજ્યના મધ્યમાં આવેલો નર્મદા જિલ્લો જ્યાંથી મા નર્મદા આખા રાજ્યને પાણી પહોંચાડે છે. નર્મદા જિલ્લો જાતભાતના કરોડોના ખર્ચ સરકાર લોકો માટે કરે છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક સહિત અનેક પાકો અહીં પણ છે. તેમ છતાં આ જિલ્લામાં કુપોષણ સૌથી મોટો મુદ્દો બન્યો છે.
નર્મદા જિલ્લામાં કુપોષણ બન્યો મોટો મુદ્દો
કરોડોનો ખર્ચ પણ ન મળ્યું પરિણામ
નર્મદાને ક્યારે મળશે કૂપોષણેથી મુક્તિ?
નર્મદા જિલ્લામાં કરોડોના સરકારી ખર્ચ, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છતાં કુપોષણ વધી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લો એસ્પિરેશનલ ડિસ્ટિકમાં આવતો હોવા છતાં આરોગ્ય સેવા કથળી રહી છે. સરકાર દ્વારા પૂરતું ધ્યાન અપાય અને પોષણક્ષમ આહાર અપાય જેના પર સતત મોનિટરીંગ થાય એ જરૂરી બન્યું છે. ત્યારે નર્મદાના કુપોષણની કેવી છે પરિસ્થિતિ...
'સહી પોષણ દેશ રોશન'ની થીમ પર પાંચ ભાગોમાં વહેંચવામાં આવ્યું
ગુજરાતમાં બે જિલ્લા નિતી આયોગ હેઠળ એસ્પિરેશનલ ડિસ્ટિક જાહેર કરાયા છે. જેથી જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ અને કુપોષણ પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. જેના માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ પરિણામ સુન્ય મળતા એક ચિંતાનો વિષય બન્યો છે. એટલું જ નહીં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક બનાવવામાં આવ્યો, જેમાં 'સહી પોષણ દેશ રોશન'ની થીમ પર પાંચ ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. બાળકોને ન્યૂટ્રિશિયન કેવીરીતે મળે અને કેટલું જરૂરી છે તમામ બાબતો બતાવવામાં આવી છે. સાથે ગેમ ઝોન પણ બનાવ્યું છે. એટલે બાળક ન્યૂટ્રિશિયન ફૂડ ખાતો થાય આટલા સરકારના પ્રયાસો છતાં કેમ આ કુપોષણ દૂર થતું નથી. જેનું જિલ્લા કલેક્ટર અને ડીડીઓ દ્વારા દયાન રાખવું જોઈએ કેમકે નીચેના વર્ગમાં એટલી ગંભીરતા જોવા મળતી નથી જોકે સરકાર ખાનગી એજન્સી ઓ દ્વારા પણ કુપોષણની કામગીરી જિલ્લામાં કરવામાં આવી રહી છે. પરંતુ જિલ્લામાં કુપોષણ એક કલંક બની ગયો છે.
2019-20ના આંકડાઓ પ્રમાણે 10 જેટલી માતાઓનું મરણ કુપોષણને કારણે થયું
તાજેતરના આંકડાઓ જોઈએ તો નર્મદા જિલ્લામાં 2019-20ના આંકડાઓ પ્રમાણે 10 જેટલી માતાઓનું મરણ કુપોષણને કારણે થયું છે અને 350 જેટલા બાળકોનું મૃત્યુ થયું છે. હવે નર્મદા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણનો રેસિયો રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા વધુ હોય એ પણ ગંભીર બાબત કહેવાય જેની સામે જિલ્લામાં આ એક વર્ષમાં જનની સુરક્ષા યોજના માટે 2,951,900 રૂપિયા, બાલ સખા યોજના માટે 97,40,00 રૂપિયા, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ 31,66,996 રૂપિયા, ચિરંજીવી યોજના હેઠળ 2,54,600 રૂપિયા કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ 1,41,44,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે. આથી વધુ કરોડો ચિલ્ડ્રન પાર્ક પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે હવે સૌથી વધુ જિલ્લાના બાળકોને આ પાર્ક બતાવવામાં આવે અને જેનાથી જાગૃતિ આવે એ પણ જરૂરી છે.