સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 20 હજાર સ્ક્વેરફૂટમાં વિકસાવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં હાલ પ્રવાસીઓનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. હાલ તેને ટ્રાયલ બેઝમાં શરૂ કરવામાં આવ્યું છે. છતાં પણ 15 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાઈ ચુક્યા છે.
સ્ટેચ્યુ બાદ બીજું મોટુ આકર્ષણ
ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની બોલબાલા
ધમાલ, મસ્તી અને મનોરંજનની પાઠશાળા
બાળકો જંકફૂડના ખોરાક સામે ન્યૂટ્રિશિયનની માહિતી આપતું આ થીમ પાર્ક ભારતમાં પ્રથમ પાર્ક છે. જે બાળકોમાં ખુબ આકર્ષણ જમાવી રહ્યું છે. આ પાર્કનો મુખ્ય ઉદ્દેશ ‘સહી પોષણ દેશ રોશન’ના થીમ હેઠળ બાળકોને તંદુરસ્ત આહાર અને ગુણવત્તાયુક્ત પોષણ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવાનો છે.
ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક આકર્ષણનું કેન્દ્ર
આ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજન સાથે મોટાપાયે ટેક્નોલોજીથી સમૃદ્ધ પ્રદર્શનો રજૂ કરાયા છે. આ પાર્કમાં આર્કેડ ગેમિંગ ઝોન, ફીડીંગ રૂમ અને ચાઇલ્ડ-કેર એરિયા, ન્યુટિશન ટ્રેન પણ રાખવામાં આવ્યા છે. હાલ આ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક સ્ટેચ્યુ પછી બીજું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
મનોરંજન સાથે માહિતી
ટોય ટ્રેન મારફતે મનોરંજન સાથે લોકોને માહિતી મળશે. આ ન્યૂટ્રીશિયન પાર્ક 5 ઝોનમાં વિસ્તરેલું છે. ઓડિયો તથા વીડિયો ફિલ્મના માધ્યમથી લોકોને માહિતગાર કરાયા છે. બાળકો માટે રૂ.125 તથા વયસ્ક વ્યક્તિ માટે રૂ.200 ટિકિટનો દર રાખવામાં આવ્યો છે.
ટોય ટ્રેન 7 સ્ટેશનો પર ઊભી રહેશે
ટોય ટ્રેન 7 સ્ટેશનો પર ઊભી રહેશે. એક્તા જંક્શન, ન્યુટ્રિ હન્ટ, પયોનગરી, અન્નપુર્ણા,મનોરંજન,પોષણપુરમ,અને સ્વસ્થ ભારત સ્ટેસન ઉપર ટ્રેન મુકામ કરશે. દરેક સ્ટેશન પર બાળકોને પોષણનું જ્ઞાન પીરસાશે.
શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝશને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની આઠમી અજાયબી જાહેર
ગુજરાતની અને દેશની ઓળખાણ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ફરી એકવાર વિશ્વ ફલક પર ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે. તાજેતરમાં જ પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝશને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની આઠમી અજાયબી જાહેર કરી છે.