છેલ્લા એક મહિનાથી ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ અને મથુરાથી રહસ્યમય વાયરલ તાવને કારણે બાળકોનાં મૃત્યુ થતાં હોવાના અહેવાલ છે. જાણો તમારા બાળકોને બચાવવા માટે શું કરશો?
છેલ્લા એક મહિનાથી ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ અને મથુરાથી રહસ્યમય વાયરલ તાવને કારણે બાળકોનાં મૃત્યુ થતાં હોવાના અહેવાલ છે. ઉત્તરપ્રદેશમાં તાવના જે કેસો નોંધાયા છે તેમાં માત્ર એક મહિનામાં 100 થી વધુ લોકોના મોત થયા છે.
યુપીના અન્ય જિલ્લાઓ - કાનપુર, પ્રયાગરાજ અને ગાઝિયાબાદમાંથી પણ તાવના કેસ નોંધાયા છે. પ્રશ્ન એમ થાય કે તો, શું વાયરલ તાવ યુપી સુધી મર્યાદિત છે?
તો આઅ સવાલનો જવાબ છે ના. બલકે આ ફીવર બધે જ થઈ શકે એવી સંભાવના છે.
દિલ્હી, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ બાળકોમાં તાવનો પ્રકોપ નોંધાયો છે, જોકે આ રાજ્યોમાં મૃત્યુ થયા નથી. તમને થશે આવું કેમ? ચલો જાણીએ
ડેન્ગ્યુ અને ચીકનગુનીયાં એક મચ્છર દ્વારા થાય છે જેનું નામ છે એડિસ ઈજિપ્ટસ. જે બ્રેડસ કે ખુલ્લા પાણીમાં પણ થાય છે. એનફિલિસ મચ્છર કે જે મલેરિયા કરે છે તે તાજા કે ગંદા બંને પાણીમાં જોવા મળી શકે છે.
શું છે આનું કારણ?
સામાન્ય રીતે, એ નોંધવામાં આવે છે કે બાળકોને એક વર્ષમાં 6-8 રેસ્પાઇરેટરી ઇન્ફેકશન થાય છે. હકીકત એ છે કે કોવિડ -19 bad લાંબા લોકડાઉન બાદથી બાળકો બહારની દુનિયાના સંપર્કમાં એક રીતે અચાનક જ આવે છે માટે તે કોઈપણ ચેપ ફેલાવાનું કારણ જ છે. બીજું કારણ વાસી ખોરાક અને અશુદ્ધ પાણી છે જે વેક્ટર દ્વારા જન્મેલા ટ્રાન્સમિશન તરફ દોરી જાય છે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ.
ઈન્ફલ્યુએન્ઝા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાથી લઈને સ્ક્રબ ટાઇફસ સુધીના વિવિધ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન્સ ઓગસ્ટથી બાળકોને ઇન્ફેક્શન્સ લગાવી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે ડેન્ગ્યુ, ચિનકનગુનિયા અને મેલેરિયા જેવા વેક્ટરબોર્ન એટલે કે સંક્રામક રોગો ફેલાય છે ત્યારે ચોમાસા પછીની ઋતુ પણ તેમાં જવાબદાર છે.
ડોકટરો શું કહે છે?
દિલ્હીના મધુકર રેઇનબો ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, જનરલ પેડિયાટ્રિક્સના વરિષ્ઠ સલાહકાર ડો. અનામિકા દુબેએ જણાવ્યું હતું કે ઈન્ફલ્યુએન્ઝા હોય કે ડેન્ગ્યુ, આજે મોટાભાગના તાવ વાયરલ છે. આ તાવ તમને ખૂબ વીક ફિલ કરાવવા લાગે છે. દર્દીઓ શરીરની પીડાથી પીડાય છે. આ તાવને માત્ર રોગનિવારક સારવાર અને સારી હાઇડ્રેશન એટલે કે લિક્વીડસની પણ જરૂર પડે છે,”
બાળકોનું રક્ષણ કરવા માટે તમે શું કરી શકો?
સૌથી પહેલા તો સાવચેતી માટે, મચ્છર ઉત્પન્ન કરવાની જગ્યાઓ ન હોવી જોઈએ અને ઘરમાં કોઈપણ જગયાએ સ્થિર પાણી ન હોવું જોઈએ. જ્યારે પણ બાળકો બહાર જતા હોય ત્યારે મચ્છર મારક ક્રીમ્સનો ઉપયોગ પણ કરવો જોઈએ. આ સાથે તેમજ બાળકોને વાસી ખોરાક આપવાનું ટાળો.
બાળકને ક્યારે હોસ્પિટલમાં લઈ જવું જોઈએ?
કોઈપણ રહસ્યમય રોગો અથવા તાવ જે ખરેખર તો 3-4 દિવસની અંદર નોંધાય છે. જો કોઈ બાળકને 103-104 ડિગ્રી સેલ્સિયસથી ઉપર તાવ હોય, અને તાવ ન હોય ત્યારે પણ જો બાળક ખોરાક કે પ્રવાહી ન લેતું હોય, અંગોમાં દુખાવાની ફરિયાદ, અથવા શરીર પર ફોલ્લીઓ અથવા બાળકનું યુરીન આઉટપુટ ઓછું હોય, તો પછી તેને હોસ્પિટલ લઈ જવું જોઈએ.