નિષ્ણાંતોનું કહેવું છે કે દેશમાં આવનારી હવે પછીની ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધારે અસર પહોંચશે.
ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધારે અસર પહોંચશે
ત્રીજી લહેર વયસ્કોને રસી લાગી ચૂકી હશે
જેનાથી તેઓ બાળકોની તુલનાએ વધારે સુરક્ષિત હશે.
કોરોનાની ત્રીજી લહેર પર બોલતા વિશેષજ્ઞોએ જણાવ્યું કે આ વખતની લહેરમાં બાળકો વાયરસની સૌથી વધારે ઝપટે ચડશે. ત્રીજી લહેર આવતા સુધીમાં દેશમાં મોટાભાગના વયસ્કોને રસી લાગી ચૂકી હશે જેનાથી તેઓ બાળકોની તુલનાએ વધારે સુરક્ષિત હશે.
આમ તો દેશમાં કોરોનાની બીજી લહેર અને દિલ્હીની ચૌથી લહેરમાં રવિવારે નવા કોવિડ કેસની સંખ્યા ઓછી થઈ તેમ છતાં આ વધારે છે. તેને સારા સમાચાર એટલે મનાઈ રહ્યા છે કેમ કે બીજી લહેરમાં પહેલી લહેર કરતા આંકડા ઓછા થયા છે. આશા છે કે આવુ ચાલતુ રહેશે. એટલે કે એક રીતે કહી શકાય કે દિલ્હીમાં કોરોનાનો પીક ખતમ થઈ ગયો છે અને હવે મામલા રોજ ઘટશે.
20 હજારને પાર થઈ ગયા ડેલી કોરોનાના આંકડા
2 મેના રોજ દિલ્હીમાં 20, 394 નવા કેસ આવ્યા હતા. ત્યારે દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 28.33 ટકા હતો. તેના વીતેલા 2 અઠવાડિયાથી વધારે સમય આ દર 30 ટકાથી ઉપર જ રહ્યો હતો. ગત એક અઠવાડિયામાં પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો નોંધાયી રહ્યો છે અને રવિવારે સતત ચૌથા દિવસે 25 ટકાથી ઓછા આંકડા આવ્યા. હકિકતમાં દિલ્હીમાં 22 એપ્રિલથી પોઝિટિવિટી રેટ 36.2 ટકા સુધી ચાલ્યો ગયો હતો જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. અત્યાર સુધીમાં આમાં ધીરે ધીરે ઘટાડો આવી રહ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સોમ્યા સ્વામીનાથને જણાવ્યું કે ભારતનો કોરોના સ્ટ્રેન અત્યંત ચેપી છે તે દુનિયા માટે ટેન્શન વધારનાર છે.
સોમ્યા સ્વામીનાથને જણાવ્યું કે ભારતમાં ફેલાઈ રહેલો કોવિડ-19 નો સ્ટ્રેન ઘણો ચેપ ફેલાવી રહ્યો છે. આ સ્ટ્રેન ચિંતા ઊભી કરનાર છે. તેમણે જણાવ્યું કે મહામારીનું આજે જે ફિચર આપણે ભારતમાં જોઈએ છીએ તે સંકેત આપી રહ્યો છે કે તે એક અત્યંત ઝડપથી ફેલાઈ રહેલો વેરિયન્ટ છે. ભારતમાં ગતા વર્ષના ઓક્ટોબરમાં B.1.617 જોવા મળ્યો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભારતના પ્રતિનિધિ ડો.રેડ્રોકો એચ ઓફ્રિન કોવિડ નિયમોની અવગણનાને વધારે દોષી માને છે. ભારતના લોકોએ કોરોનાને ફેલાવવાની તક આપી છે તેવું તેમનું કહેવું છે.યુનિસેફના પ્રતિનિધિ ડો.યાસ્મીન હકે જણાવ્યું કે કોરોનાથી થયેલી તબાહિની ભરપાઈ કરવામાં ભારતને ઘણા વર્ષો લાગી જશે. અમે બાળકો,ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પર કોરોનાની અસર જોઈ શકીએ છીએ. ભારતની શિક્ષણ વ્યવસ્થા તો પહેલેથી ખરાબ છે.
ભારતનું નવું વેરિયન્ટ અત્યંત ચેપીલું અને ખતરનાક છે
એક ઈન્ટરવ્યુમાં બાયોલોજિસ્ટ ટોમ વેંસલિયર્સે જણાવ્યું કે ભારતનું નવું વેરિયન્ટ અત્યંત ચેપીલું અને ખતરનાક છે. ભારતનું આ સ્વરુપ ઝડપથી ફેલાય છે. આ સ્વરુપ બ્રિટનના સ્વરુપ જેવું જ છે. રાજકીય પાર્ટીઓની રેલીઓ, મોટી ભીડ તથા કોવિડ નિયમોની અવગણનાને કારણે પરિસ્થિતિ બેકાબૂ થઈ છે.