ગુજરાતના મોટા શહેરોમાં રોગચાળો વકર્યો વડોદરામાં બાદ હવે અમદાવાદમાં પણ બિમારીએ માથું ઊંચક્યું
રાજ્યના મોટા શહેરોમાં રોગચાળો વકર્યો
ડેન્ગ્યુ, મલેરિયા, શરદી, તાવના નોંધાયા કેસ
શહેરોમાં મચ્છરજન્ય,પાણીજન્ય રોગો વધ્યાં
રાજ્યના મોટા શહેરોમાં ચોમાસાની સિઝન દરિમાયન બિમારીનું પ્રણાણ વધતું હોય છે ત્યારે વડોદરામાં બાદ હવે અમદાવાદમાં પણ બિમારીએ માથું ઊંચક્યું છે.સિઝનલ ફ્લૂ અને પાણી જન્યરોગો તેમજ મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે મચ્છરોના ઉપદ્રવ વધવાને કારણે બિમારીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યૂ,મેલિરિયા, ઝાડા-ઉલ્ટી, શરદી, ખાંસી, તાવ વગેરે જેવા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો કરાયા દાખલ
જો વાત કરવામાં આવે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં બિમારીના કેસમાં ધરખમ વધારો થયો છે. જુલાઈ મહિનામાં 2900 બાળકોને સિવિલમાં લવાયા જેમાં 1050 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં 1470 બાળકોને સિવિલ લવાયા છે જેમાં 475 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. કહી શકાય છે કે ઓગસ્ટ મહિનામાં પ્રથમ 12 દિવસમાં જ 1470 બાળકો બિમારીમાં સપડાઈ ગયા છે.
રાજકોટ 14 દિવસમાં નોંધાયા 1184 કેસ
આ તરફ રાજકોટ શહેમાં પણ રોગચાળો વકર્યો હાવોનું સામે આવ્યું છે. છેલ્લા 14 દિવસમાં મહાનગરપાલિકાના ચોપડે શરદી,ખાંસી, તાવના 1184 કેસ નોંધાઈ છે, ચોમાસાનીં ઋતૂમાં ઓછો તડકો, અને ભેજનું પ્રમાણ વધતા રોગચાળો વકર્યો હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના OPD બહાર બિમાર દર્દીઓની કતારો જોવા મળી રહી છે.
રાજકોટમાં બાળકો પર કરાયો સર્વે
રાજકોટમાં બાળકો પર કરાયો સર્વે કરવામાં આવી રહ્યો છે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ રાજકોટમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બાળકો પર સર્વે હાથ ધરાયો છે, જેમાં આશા વર્કર,આંગણવાડીની બહેનો તથા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. બાળકોને સુરક્ષિત રાખવા હાઈ રિસ્ક બાળકોને સારવાર અર્થે શહેરની હોસ્પિટલમાં ખસેડાયામાં આવી રહ્યા છે.
વડોદરામાં પણ મચ્છજન્ય રોગચાળો વધ્યો
વડોદરા શહેરમાં પણ મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. ડેન્ગ્યૂ ચિકનગુનિયા, ઝાડા, ઉલટી, સહિત તાવના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના દર્દીઓ વાઈરલ ઈન્ફેક્શન કે સિઝનલ ફ્લૂનો ભોગ બન્યા હોય તેવું મનાઈ રહ્યું છે. શહેરમાં ડેન્ગયૂ ચિકનગુનિયા સહિતના કેસ વધી રહ્યા છે તેમજ ઝાડા ઉલટી, તાવના કેસ પણ વધ્યા છે અત્યાર સુધીમાં 300થી વધુ દર્દીઓ આરોગ્ય વિભાગાના ચોપડે નોંધાયા હોવાનું સામે આવ્યું છે.