શું રાજકોટમાં એક પુત્રનું મોત એટલે થયું કે, તે તોફાન કરી રહ્યો હતો, 8 વર્ષનો પુત્રને વારંવાર જમવા ન બેસતા અને પિતાનું કહ્યું ન માનતા તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો
રાજકોટમાં પુત્રના હત્યારા પિતાની ધરપકડ
સૌરભની હત્યા કરનાર પિતાની કરાઇ ધરપકડ
પુત્ર તોફાન કરતા માથું દિવાલમાં અથડાવ્યું હતું
રાજકોટમાં એક પુત્રના મોત પાછળ તેમના જ પિતાનો ગુસ્સાવાળો સ્વભાવ જવાબદાર બન્યો છે. કાલાવડ રોડના રાણી ટાવર નજીક નંદનવન સોસાયટીમાં આ ઘટના બની છે. જ્યાં નેપાળી પરિવારના એક પુત્રનું મોત એટલે થયું કે, તે તોફાન કરી રહ્યો હતો. 8 વર્ષનો પુત્રને વારંવાર જમવાનું કહેવાયું હતું. પરંતુ તે જમવા બેસતો નહોતો. અને પિતાનું કહ્યું ન માનતા તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. 8 વર્ષના બાળકને પહેલા લાકડીથી સજા આપી અને જમ્યા બાદ બાળકે તોફાન કરતા તેના પિતા ફરી મારવા માટે દોડ્યા હતા. આ દરમિયાન જ તેને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે, તેણે પોતાની પીડા કોઈને કહ્યા વગર 8 વર્ષનો બાળક સૂઈ ગયો હતો. પરંતુ રાત્રીના સમયે તબિયત ખરાબ થતા વહેલી સવારે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જ્યાં હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરાતા પરિવાર શોકમાં ડૂબ્યો હતો. આ બાળકનું મોત પિતાના મારથી થયું છે કે નહીં તેને લઈ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
પૂછપરછમાં દર્શાવ્યું કે, બાળક રમતા-રમતા પડી ગયો
8 વર્ષનો સૌરભ રાત્રીના સમયે તો માર ખાઈને સૂઈ ગયો હતો. પરંતુ વહેલી સવારે તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં ડૉક્ટરોએ સૌરભને મૃત જાહેર કર્યો હતો. અને પૂછપરછમાં પિતાએ જણાવ્યું કે, તે રમતાં-રમતા પડી જતા માથાના ભાગે ઈજા પહોંચી હતી. અને આ કારણે સૌરભ બેભાન થયું હોવાની વાત કહી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસમાં સૌરભ નામના બાળકના શરીર પર ઘાના નિશાન જોવા મળ્યા હતા. જેમાં જમણા સાથળ, ગોઠણની નીચે, ડાબા ભાગે, સાથળ સહિતના ભાગ પર માર મારવામાં આવ્યો હતો. આ નિશાનના કારણે પોલીસને પણ શંકા ઊપજી હતી.