બાળવિવાહના મામલે ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો મુસ્લિમ સમુદાયના, આસામમાં 6 વર્ષથી ભાજપની સરકાર, બાળવિવાહ થઈ રહ્યા હતા ત્યારે તમે ક્યાં હતા?
આસામમાં બાળવિવાહ સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી
બાળવિવાહના મામલે 2211 લોકોની ધરપકડ કરવામાં આવી
AIMIMના ઓવૈસીએ સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા
જ્યારે બાળવિવાહ થઈ રહ્યા હતા ત્યારે તમે ક્યાં હતા?: ઓવૈસી
આસામમાં બાળવિવાહ સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી યથાવત છે. વિગતો મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં બાળવિવાહના મામલે 2211 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાળવિવાહ ના મામલામાં ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો મુસ્લિમ સમુદાયના છે. આવી સ્થિતિમાં આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષી પાર્ટીની સાથે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ રાજ્ય સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.
આસામમાં બાળવિવાહ ના મામલામાં થઈ રહેલી કાર્યવાહી પર સવાલ ઉઠાવતા અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન સામે આવ્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભાજપ આસામમાં મુસ્લિમોની વિરુદ્ધ છે. આ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, જે યુવતીઓ પરણિત છે તેનું શું કરશો? તેમની સંભાળ કોણ રાખશે?
શું કહ્યું ઓવૈસીએ ?
શનિવારે આસામ સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, જે છોકરીઓના લગ્ન થઈ ગયા છે તેનું તમે શું કરશો? તેમની સંભાળ કોણ રાખશે? તમે (આસામ સરકારે) 4,000 કેસ નોંધ્યા છે. તમે નવી શાળાઓ કેમ ખોલતા નથી? આસામની ભાજપ સરકાર મુસ્લિમો પ્રત્યે પક્ષપાતી છે.
બાળવિવાહ થયા ત્યારે ક્યાં હતા: ઓવૈસી
ઓવૈસીએ કહ્યું કે ભૂમિહીન લોકોને ઉપરના આસામમાં જમીન આપવામાં આવી હતી પરંતુ તેઓ નીચેના આસામમાં કેમ નથી કરી રહ્યા? આ મુસ્લિમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સવાલ કર્યો કે, આસામમાં 6 વર્ષથી ભાજપની સરકાર છે. પરંતુ આ પછી પણ રાજ્યમાં બાળવિવાહ થઈ રહ્યા છે, તે તમારી નિષ્ફળતા છે. તેણે એમ પણ પૂછ્યું કે, જ્યારે બાળવિવાહ થઈ રહ્યા હતા ત્યારે તમે ક્યાં હતા?
What'll happen to girls who were married, who'll take care of them? Assam govt booked 4000 cases, why aren't they opening new schools? BJP's govt in Assam is biased against Muslims. They gave land to landless people in Upper Assam but didn't do same in Lower Assam:AIMIM chief pic.twitter.com/ltqVcORpU5
આ સાથે ઓવૈસીએ વધુમાં કહ્યું કે, બાળવિવાહ મામલામાં આવી ધરપકડ કરીને તમે નવી સમસ્યા ઉભી કરી રહ્યા છો. તમે બાળવિવાહમાં પરણેલી છોકરીઓના પતિ અને સગા-સંબંધીઓની ધરપકડ કરી રહ્યા છો. હવે એ છોકરીઓનું ધ્યાન કોણ રાખશે? ઓવૈસીએ આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આસામમાં બાળવિવાહના મામલે 4000 કેસ નોંધાયા છે. તમે છોકરાઓને પકડીને જેલમાં મોકલશો પણ છોકરીઓ શું કરશે?
So far 4074 cases registered across Assam related to child marriages while 8134 people identified as accused. Till today morning 2211 persons have been arrested. Action against child marriages will be continued. We will have to arrest around 3500 people: Assam CM HB Sarma pic.twitter.com/jVs82d95SW
આસામના સીએમએ શું કહ્યું?
આ તરફ હવે આસામમાં બાળ લગ્ન સામે ચાલી રહેલી કાર્યવાહી પર મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં સમગ્ર આસામમાં બાળવિવાહ સંબંધિત 4,074 કેસ નોંધાયા છે જ્યારે 8,134 લોકોની આરોપી તરીકે ઓળખ કરવામાં આવી છે. આજે સવાર સુધીમાં 2,211 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાળવિવાહ સામેની કાર્યવાહી ચાલુ રહેશે. અમારે લગભગ 3,500 લોકોની ધરપકડ કરવાની છે.
બાલ લગ્ન પર આજીવન કેદની સજા
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ આ વિશે કહ્યું હતું કે, 'આવનાર 5-6 મહિનામાં આવા હજારો લોકોની ધરપકડ કરવામાં આવશે કારણ કે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે સેક્સ કરવું એ ગુનો છે, પછી ભલે તે કાયદેસરનો પતિ હોય. મહિલા માટે લગ્નની કાયદેસરની ઉંમર 18 વર્ષ છે અને સગીર વયની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને આ માટે આજીવન કેદની સજા થઈ શકે છે.
બાળ લગ્ન પર કડકાઇ શા માટે?
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આસામમાં માતા અને બાળ મૃત્યુ દર ઘણો ઊંચો છે. તેનું એક મુખ્ય કારણ બાળ લગ્ન છે. જણાવી દઈએ કે આ રિપોર્ટ પછી રાજ્ય સરકારે બાળ લગ્ન કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો અને પોલીસને બાળ લગ્નની પ્રથા સામે ઝુંબેશ ચલાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.