સુરતમાં માતા-પિતાની થોડી બેદરકારીને કારણે એક કરૂણ ઘટના સામે આવી છે. અહીં ઘરના આંગણામાં રમતી બાળકીનું ડોલમાં ડૂબી જતાં મોત થયું છે. સુરતના પાંડસરના ભવાની નગરમાં માતા-પિતા ઘરમાં હતા અને એ દરમિયાન ઘરના આંગણામાં રમત બાળકી ડોલમાં પડી જતાં માસૂમનું મૃત્યુ થયું છે. નાની, નાજૂક, માસૂમ, ફૂલ જેવી બાળકીનું આ પ્રકારે મોત થતા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
સુરતમાં પાણીની ડોલમાં પડી જતાં માસૂમ બાળકીનું મોત
માતા-પિતા ઘરમાં હતા અને બહાર આંગણામાં રમતી હતી બાળકી
સુરતમાં ડોલમાં ડુબી જવાથી બાળકીના મોત બાદ વડોદરામાં વાલીઓ સતર્ક
સુરત શહેરના પાંડેસરા વિસ્તારના ભવાની નગરમાં માતા-પિતાની બેદરકારીના કારણે બાળકીનું મોત થયુ હતુ. ઘરના આંગણામાં મુકેલી પાણીની ડોલમાં રમતી બાળકીનું મોત થયું હતું. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સમગ્ર તપાસ શરૂ કરી છે.
સુરતની આ ઘટના બાદ હવે વડોદરામાં વાલીઓ સતર્ક થયા છે. વડોદરાના વાલીઓ દ્વારા પોતાના બાળકોની તકેદારી રાખવામાં આવી રહી છે. માતા-પિતા દ્વારા બાળકો પર નજર રાખવામાં આવે છે. સારસંભાળ લેવામાં ખાસ તકેદારી રાખવામાં આવી છે. ત્યારે VTVGujarati.com દ્વારા નાના બાળકોના વાલીઓને સતર્ક રહેવા માટે સલાહ આપે છે.