મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રસૂતા અને નવજાત શિશુઓ માટે રસીકરણ ઉપરાંતની વિવિધ યોજના ચાલે છે. ખાસ મ્યુનિ. મહિલા અને બાળવિકાસ કલ્યાણ કમિટીનું ગઠન કરાયું છે. બાળકો અને મહિલાઓ માટે કરોડો રૂપિયા વપરાઇ રહ્યા છે, જોકે રાજ્યની સરેરશથી પણ અમદાવાદમાં બાળકોનો મૃત્યુદર વધારે છે.
3233 બાળકો એક વર્ષ પૂરું કરે તે પહેલાં મૃત્યુ પામ્યાં
બહારથી ગંભીર હાલતમાં સારવાર માટે લવાતાં બાળકોનાં કારણે મૃત્યુ આંક વધુ
કુલ 4,591 બાળકો મરણને શરણ થયાં હતાં
બીજી તરફ મેગા સિટી અમદાવાદના શાસકો શહેરને સ્માર્ટ સિટી બનાવવાનાં બણગાં ફૂંકતા હોઇ ગુજરાત કરતાં પણ અમદાવાદમાં બાળમૃત્યુ દર વધુ હોવાની ચોંકાવનારી વિગત જાણવા મળી છે. શહેરમાં ગત વર્ષ 2019માં કુલ 1.6 લાખથી વધુ બાળકો જન્મ્યાં હતાં, જે પૈકી કુલ 1,358 બાળકો મૃત હાલતમાં હતાં અને 3233 બાળકો એક વર્ષની આયુ પહેલાં મૃત્યુ પામ્યાં હતાં એટલે કે કુલ 4,591 બાળકો મરણને શરણ થયાં હતાં.
શહેરમાં બાળ મૃત્યુદર 43.21
બીજા અર્થમાં જો ગુજરાતમાં બાળ મૃત્યુદર હજાર બાળકોએ જો 30 છે તો અમદાવાદ જેવા આધુનિક ગણાતા શહેરમાં બાળ મૃત્યુદર 43.21 છે. શહેરમાં 40 ટકાથી વધુ ચાલી-ઝૂંપડપટ્ટી વિસ્તાર હોઇ કુપોષિત બાળકોની સંખ્યા સતત વધતી જતી હોવાના કારણે બાળ મૃત્યુદરમાં વધારો થયો છે.
અમદાવાદમાં બાળમૃત્યુ આંક વધે છે
આ ઉપરાંત ગુજરાત કરતાં અમદાવાદમાં બાળ મૃત્યુદર વધુ હોવાનું અન્ય મહત્વનું કારણ છેક રાજ્યભરમાંથી અને મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ક્રિટિકલ કંડિશનમાં સારવાર માટે અમદાવાદ લવાતા બાળદર્દીઓ પણ છે. આવા જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા બાળદર્દી જો સંજોગોવશાત મૃત્યુ પામે તેવા કિસ્સામાં પણ અમદાવાદમાં બાળમૃત્યુ આંક વધે છે.
2019માં બાળકોનાં જન્મ-મરણના આંકડા
જાતિ જન્મ મૃત 0 થી 1 વર્ષ
જન્મેલ સુધીનું
બાળક મૃત બાળક
પુરુષ 56566 773 1988
સ્ત્રી 49671 585 1245
કુલ 1,06,237 1358 3233