રાજ્યમાં નવજાત બાળતોના મોતના આંકડા જાહેર થતાં ખળભળાટ થઈ ગયો છે અને ગુજરાતના મોટા મોટા શહેરોના આંકડા એક પછી એક જાહેર થઈ રહ્યા છે જે ખરેખર ભયજનક અને ચોંકાવનારા છે આ મામલે રાજસ્થાનને પણ પછાડીને ગુજરાત આગળ નીકળી જાય તો નવાઈ નહીં. એવા સંજોગોમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતુ કે, મને આ વિશે કંઈ માહિતી જ નથી. હું તપાસ કરીને પત્રકાર પરિષદ કરીશ. વળી તેમણે એમ પણ કહ્યું હતુ કે, વિવિધ યોજનાઓને કારણે નવજાત શિશુંઓના મોત ઘટ્યા છે પણ આંકડો તો કંઈક બીજું જ કહી રહ્યો છે.
મીડિયાના અહેવાલ બાદ મોતના આંકડાની જાણ થઈ
વિવિધ યોજનાના કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો
બાળકોના મોત અંગેની માહિતી મેળવીને પત્રકાર પરિષદ
રાજ્યમાં નવજાત શિશુઓના આંકડા સામે આવ્યા છે. ત્યારે હવે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, મીડિયાના અહેવાલ બાદ મોતના આંકડાની જાણ થઈ હતી. હાલમાં બાળકોના મોત અંગેની મારી પાસે કોઈ માહિતી નથી. બાળકોના મોત અંગે માહિતી મેળવીને પત્રકાર પરિષદ કરીશ. વળી સરકારી યોજનાઓ પાછળ લાખો ખર્ચાતા હોવા છતાં આ મોતનો આંકડો ગુજરાતના વિકાસ ઉપર લાંછનની લગાવી રહ્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું આપ્યુ નિવેદન
મીડિયાના અહેવાલ બાદ મોતના આંકડાની જાણ થઈ. વિવિધ યોજનાના કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. બાળકોના મોત અંગેની માહિતી મેળવીને પત્રકાર પરિષદ કરીશ. રાજ્યમાં બાળકોના મોત અંગેની મારી પાસે માહિતી નથી.