નવજાત બાળકોના મોત મામલે આજે રાજ્યમાં ઘમાસાણ જામ્યુ હતુ ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી પરિસ્થિતિ સહીસલામત હોવાનો રાગ આલાપ્યો હતો. એટલું જ નહીં પરંતુ 1997 કરતા હાલ બાળ મૃત્યુદર ઘટ્યો હોવાનું પણ જણાવ્યું હતુ.
બાળકોના મોત મામલે નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ
અમદાવાદ, રાજકોટમાં બાળકોના મોતથી ઉઠ્યા સવાલ
પ્રજાને સત્યથી અજાણ નહીં રાખીએ
અન્ય 3 કાર્યક્રમ મુલતવી રાખીને સવારથી જ અગ્રસચિવ, કમિશનર સાથે મળીને બીજા અધિકારીઓ સાથે મળીને અને મુખ્યમંત્રી પણ સતત ફોન ઉપર સંપર્કમાં હતા અને હકીકત પ્રજા સમક્ષ મૂકવા અમે આવ્યા છીએ.
ગુજરાતમાં 12 લાખ બાળકોના જન્મ થાય છે. ગુજરાતમાં 12 લાખ પ્રસુતીમાંથી 99 ટકા પ્રસુતિ દવાખાનામાં થાય છે. હાલમાં બાળ મૃત્યુદર હાલ 30 ટકા છે જે પહેલા 55 ટકા હતો. જે ઘટ્યો છે. એટલે કે, 1000 બાળકોમાં 55 મરતાં હતા તેને બદલે હવે 30 બાળકો જ મૃત્યુ પામે છે.
આંકડાની માયાજાળ
કોંગ્રેસ સરકાર વખતે બાળ મૃત્યુદર 62 ટકા હતો જે ભાજપ સરકારમાં ઘટ્યો. 1997માં 62થી મૃત્યુદર 2013માં 36 થયો 2017માં 30 થયો.
સરકારી સોફ્ટવેરમાં નોંધ
આશાવર્કર, PHC, CHC, ખાનગી દવાખાનામાં જન્મ થાય તો પણ નોંધવામાં આવે છે. છેલ્લા આંકડા 2017માં બાળ મૃત્યુદર 30 હતો તે હવે ઘટીને 25થી નીચે ગયો છે. 1997માં દર 1000 બાળકોમાંથી 62 બાળકો મરણ પામતા હતા તે હવે 25 પહોંચ્યો છે.