વડોદરામાં તહેવારો ટાણે જ આજવાના અતાપી વોટરપાર્કમાં બાળકનું ડુબી જવાથી મોત થયુ છે. વોટરપાર્કના સંચાલકોએ ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દવાખાનામાંથી તબીબોએ પોલીસને જાણ કરી દેતા મામલો સામે આવ્યો હતો.
વડોદરાના આજવા નિમેટામાં બાળકનુ મોત
અતાપી વોટરપાર્કમાં ડૂબી જવાથી બાળકનું મોત
સંચાલકોનો ઘટનાને છૂપાવાનો પ્રયાસ
વડોદરાના આજવા નિમેટામાં બાળકનું મોત થયું છે. વડોદરામાં અતાપી વોટર પાર્કમાં જૂબી જવાથી બાળકનું મોત થયું છે. અંડર ગ્રાઉન્ટ પાણીની ટાંકીમાં ડૂબવાથી બાળકનું મોત નિપજ્યું છે. ટાંકીનું ઢાંકણું ખુલ્લુ હોવાથી બાળક ટાંકીમાં પડ્યો હતો. ત્યાર અતાપી વોટરપાર્કના સંચાલકોએ ઘટનાને છૂપાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સરકારી દવાખાનાના તબીબે પોલીસને જાણ કરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કેવી રીતે થયુ મોત
અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં બાળકના ડૂબવાથી મોત થયુ છે. વોટરપાર્કના સંચાલકોની બેદરકારીને કારણે ટાંકીનું ઢાંકણું ખુલ્લુ હોવાથી બાળક અંદર પડી ગયો હતો. દિવાળની રજાઓમાં પરિવાર અમદાવાદથી વડોદરા ફરવા આવ્યો હતો.
વોટરપાર્કના સંચારલોકનો ભીનું સંકેલવાનો પ્રયાસ
બાળકનું ટાંકામાં પડી જવાથી મોત થવાની ઘટનાને અતાપી વોટરપાર્કના સંચાલકોએ ઘટનાને છૂપાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકારી દવાખાનાના તબીબે પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.