સુરતમાંથી બે દુર્ઘટના સામે આવી છે. હજીરા રોડ પક આવેલા કવાસ ગામમાં આવેલા રૂપક ફ્સેટની અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ ટાંકીમાં પડી જતા એક માસૂમ બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે વરાછા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.
વરાછામાં દીવાલ ધરાશાયી
સુરતના વરાછા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં આવેલા રૂપા એપાર્ટમેન્ટની લોબીની જર્જરિત દીવાલ પાસે વૃદ્ધા કપડા લેવા જતા હતા તે દરિયાન વૃદ્ધા પણ નીચે પટકાયા હતા. આ ઘટના બાદ લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે વરાછામાં આવેલું રૂપા એપોર્ટમેન્ટ ઘણા વર્ષ જૂનું હતું. આટલા વર્ષો વિતી ગયા પછી પણ રહેતા રહીશોએ કોઇ મેન્ટેનન્સ કરાવવાની તસ્દી લીધી નહોતી. જેના કારણે આજે ગમખ્વાર અકસ્માત થયો હતો.
ડ્રેનેજની ટાંકીમાં પડી જતા બાળકનું મોત
સુરતમાં ડ્રેનેજની ટાંકીમાં પડી જતા એક માસૂમ બાળકનું મોત નિપજ્યું છે. હજીરા રોડ આવેલા કવાસ ગામમાં આવેલા રૂપક ફ્સેટની અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ ટાંકીમાં 7 વર્ષનું બાળક રમતા રમતા પડતાં ઘટના સ્થળે જ મોત થયું છે. જેને લઇ ઇચ્છાપોર પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ અહિંયા સવાલ એ છે કે, ક્યાં સુધી બિલ્ડરોની બેદરકારીના કારણે લોકોના જીવ જશે? ડ્રેનેજની ટાંકી પર ઢંકણું કેમ ન હતું? શું તંત્ર આવા બિલ્ડરો સામે કાર્યવાહી કરશે? કેમ અવારનવાર આવી ઘટનાઓ ઘટે છે?