મૃતક સરકારી કર્મચારી અને દત્તક બાળક વચ્ચે કોઈ સંબંધ નથી
કોઈ સરકારી કર્મચારીનું મોત થાય અને તે પછી તેની વિધવા કોઈ બાળકને દત્તક લે તો શું તે મૃતક પતિનું પેન્શન મેળવવા હકદાર છે કે નહીં તેને લઈને સુપ્રીમે એક મોટો ચુકાદો જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારી કર્મચારીની વિધવાએ તેના મૃત્યુ બાદ દત્તક લીધેલ બાળક ફેમિલી પેન્શન માટે હકદાર નથી. જસ્ટિસ કે.એમ. જોસેફ અને જસ્ટિસ બી.વી. નાગરથનાએ જણાવ્યું હતું કે, મૃતક સરકારી કર્મચારીના મૃત્યુ બાદ બાળકના જન્મની તુલના સરકારી કર્મચારીની વિધવા ના દત્તક બાળક સાથે ન થઈ શકે. સુપ્રીમની ખંડપીઠે કહ્યું કે વારસદારોની ભૂતપૂર્વ શ્રેણી પરિવારની વ્યાખ્યા હેઠળ આવે છે કારણ કે આવું બાળક મૃતક સરકારી કર્મચારીનું મરણોપરાંત બાળક હશે. ખંડપીઠે નવેમ્બર 2015 માં પસાર કરેલા બોમ્બે હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું હતું, જેમાં ઠરાવવામાં આવ્યું હતું કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 1972 (સીસીએસ (પેન્શન) નિયમોના નિયમ 54 (14) (બી) હેઠળ, દત્તક લીધેલા બાળક ફેમિલી પેન્શન માટે હકદાર નહીં હોય.
ફેમિલી પેન્શનનો લાભ કાયદેસરના સંતાનો સુધી સીમિત
સુપ્રીમે કહ્યું કે ફેમિલી પેન્શનનો લાભ સરકારી કર્મચારી દ્વારા તેના જીવનકાળ દરમિયાન કાયદેસર રીતે અપનાવવામાં આવેલા પુત્રો અથવા પુત્રીઓ સુધી મર્યાદિત હોવો જોઈએ અને તેને દત્તક બાળક સુધી ન લંબાવી શકાય.
મૃતક સરકારી કર્મચારી અને દત્તક બાળક વચ્ચે કોઈ સંબંધ નથી
સુપ્રીમે કહ્યું કે મૃતક સરકારી કર્મચારી અને દત્તક બાળક વચ્ચે કોઈ સંબંધ નથી. સુપ્રીમે દત્તક પુત્ર શ્રીરામ શ્રીધર ચિમુરકા દ્વારા દાખલ કરેલી અપીલને ફગાવી દીધી હતી.
કયા કેસમાં સુપ્રીમે આપ્યો ચુકાદો
શ્રીધર ચીમુરકાર નામના શખ્સ નાગપુરમાં નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા. તેઓ 1993માં નિવૃત્ત થયા હતા. 1994માં નિ:સંતાનતાના કારણે તેમનું અવસાન થયું હતું, તેમની પત્નીએ એપ્રિલ 1996માં એક પુત્રને દત્તક લીધો હતો. દત્તક પુત્રએ કેન્દ્રના મૃતક સરકારી કર્મચારીના પરિવારને મળવાપાત્ર ફેમિલી પેન્શનનો દાવો કર્યો હતો, જેને સરકારે ફગાવી દીધો હતો.કોર્ટનું કહેવું છે કે મૃતક કર્મચારીના કાયદેસરના સંતોનો જ ફેમિલી પેન્શનને લાયક છે નહીં કે દત્તક લીધેલા સંતાનો.