ગુજરાતમાં જ્યાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 38એ પહોંચ્યો છે. પીએમ મોદીની જાહેરાત બાદ દેશમાં જ્યારે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોના સામે લડવા માટે ઘણીબધી સ્વૈચ્છિક સંસ્થાઓ મદદ કરવા આગળ આવી રહ્યાં છે.
જો કે કોરોના કહેર સામે લડવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ લોકોને જીવજરૂરિયાતની વસ્તુઓની મદદ કરવા આગળ આવી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રી ફંડમાં સ્વૈચ્છિક ફાળો આપવા અપીલ કરવામાં આી છે.
કોરોના વાયરસ સામે લડવા રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગને મદદ કરવા તેમજ જીવનજરૂરિયાત વસ્ચુઓ પહોંચાડવા માટે મુખ્યમંત્રી રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સ્વૈચ્છિક ફાળો આપવા અપીલ કરવામાં આવી છે.
કોરોના વાયરસ સામે લડવા માટે નાગરિકો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ મુખ્યમંત્રી રાહત ફંડમાં બેંકના ખાતામાં ઓનલાઇન રકમ જમા કરાવી શકશે. આ સાથે જિલ્લા કક્ષાએ કલેકટરો પણ ચેક સ્વીકારશે.
મુખ્યમંત્રી ફંડમાં ઓનલાઇન માટે આ ખાતામાં આપી શકશો યોગદાન
Account Name : Chief Minister's Relief Fund
Account Number : 10354901554
Saving Bank Account
SBI, NSC Branch (08434)
IFSC: SBIN0008434
આ સાથે કોરોના વાયરસના સંકટ સમયે શિક્ષકો રાજ્ય સરકારની વહારે આવ્યાં છે. જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તમામ પ્રાથમિક શિક્ષકોનો એક દિવસનો પગાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષકો દ્વારા એક દિવસનો પગર મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાશે. ઉલ્લેખનીય છે કે અંદાજે 2 લાખ શિક્ષકો એક દિવસનો પગાર રાહત ફંડમાં જમા કરાવશે તો અંદાજે 40 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આવશે.