યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના ક્રિકેટના 3 ફોર્મેટમાં સતત નબળા ફોર્મને કારણે હવે ચીફ સિલેક્ટર એમ.એસ.કે પ્રસાદે તેણે વૉર્નિગ આપી છે. BCCI ની સિલેક્શન કમિટીના ચીફ સિલેક્ટર્સ એમ.એસ.કે.પ્રસાદે કહ્યુ કે, ''તેઓ રિષભ પંતના વિકલ્પ તરીકે ઇશાન કિશન, સંજૂ સૈમસન અને અન્ય વિકેટકીપર્સ પર નજર રાખી રહ્યા છે.''
ધોનીને રિપ્લેસ કરનાર રિષભ પંતને મળી વોર્નિંગ
ચીફ સિલેક્ટરે રિષભ પંતને આપી વોર્નિંગ
આ પહેલા ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી પણ પંતને આપી ચૂક્યા છે ચેતવણી
તમને જણાવી દઇએ કે, રિષભ પંત હાલમાં ખૂબ જ ખરાબ ફોર્મમાં રમી રહ્યો છે. બુધવારે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ મોહાલીમાં રમાયેલી બીજી T-20 મેચમાં પંત નંબર 4 પર બેટિંગ કરવા માટે આવ્યો હતો અને માત્ર 4 રન કરીને આઉટ થયો હતો. ગત મહિનામાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ દરમિયાનની T-20 સીરિઝમાં તેણે 69 રન કર્યા હતા, તો 3 મેચની વન ડે સીરિઝમાં માત્ર 20 રન કર્યા હતા.
મહેન્દ્ર સિંહ ધોનીના ઇન્ટરનેશનલ મેચમાંથી બ્રેક લીધા પછી રિષભ પંત ટીમના મુખ્ય વિકેટકીપર તરીકે રમી રહ્યો છે, પરંતુ સતત નિષ્ફળ થઇ રહ્યો છે. ચીફ સિલેક્ટર એમ.એસ.કે પ્રસાદે માન્યુ કે, ''રિષભ પંત જેવા પ્રતિભાશાળી ખિલાડીની સાથે ધીરજ રાખવાની જરૂર છે, તેની પાસે ઘણું ટેલેન્ટ છે.''
ચીફ સિલેક્ટરે કહ્યુ કે, ''અમે રિષભ પંતના વર્કલોડ પર ધ્યાન આપી રહ્યા છીએ. જોકે આ સાથે જ અમે 3 ફોર્મેટમાં વિકેટકીપરના વિકલ્પો પર ધ્યાન આપી રહ્યા છીએ. ટેસ્ટમાં ઇન્ડિયા A માટે કે.એસ.ભરત સારું કરી રહ્યો છે. અમારી પાસે ઇશાન કિશન અને સંજૂ સૈમસન છે જે સીમતિ ઑવર્સમાં માટે ઇન્ડિયા A માટે અને ઘરેલૂ ક્રિકેટમાં સારું કરી રહ્યા છે.''
રવિ શાસ્ત્રીએ પણ આપી હતી ચેતવણી:
ગત થોડી મેચમાં રિષભ પંતને જેટલી પણ તક મળી તેમાં તે નિષ્ફળ સાબિત થયો હતો અને તેના પર સારું ફોર્મ કરવાનું પ્રેશર વધી રહ્યા છે. રિષભ પંતને લઇને હેડ કોચ રવિ શાસ્ત્રીએ પહેલા જ સ્પષ્ટ કરેલું કે, ''જો રિષભ પંતે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર કરેલી ભૂલોને ફરી કરશે તો તેનું પરિણામ ભોગવવુ પડશે.'' રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, ''આ યુવા ક્રિકેટર બેટ્સમેને ટીમ ઇન્ડિયાના વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર નિરાશ કર્યો હતો.'' મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા વિન્ડીઝ સામે વનડે સીરિઝમાં રમ્યો હતો. તે પ્રથમ વનડેમાં પ્રથમ બોલે ખોટો શોટ રમીને આઉટ થયો હતો.
સુનીલ ગાવસ્કરે આપ્યો સાથ:
પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આગામી વર્ષે થનારા ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ T-20 ના પહેલા રિષભ પંતને વધારે તક આપવાની વાત કરી. ગાવસ્કરે કહ્યુ કે, ''હવે મહેન્દ્ર સિંહ ધોનીથી આગળ જોવાની જરૂર છે. જો તમે T-20 વર્લ્ડ કપ વાત કરી રહ્યા છો તો હું નિશ્ચિત રીતે રિષભ પંત વિશે વિચારીશ. આ સિવાય સંજૂ સૈમસન પણ વિકેટકીપર માટે સારો વિકલ્પ છે, તે એક સારો વિકેટકીપર અને બેટ્સમેન છે.''