બીસીસીઆઇના અધ્યક્ષ સૌરભ ગાંગુલી અને સચિવ જય શાહે ગુરુવારે પસંદગીકર્તા સમિતિની બેઠકની અંદર અહીંયા કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે મુલાકાત કરી અને એમની સાથે ભારતીય ક્રિકેટ ટીમની આગળની યોજના પર ચર્ચા કરી.
'અમે આગળ વધી ગયા છીએ, અમે અમારા વિચારોમાં સ્પષ્ટ છીએ'
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે એ મહેન્દ્ર સિંહ ધોનીને એના ભવિષ્યને લઇને વાત કરશે, પરંતુ પસંદગીકર્તા સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે ગુરુવારે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી દીધી અને કહ્યું કે ધોનીને લઇને પસંદગીકર્તાનું મંતવ્ય સ્પષ્ટ છે, એ આગળ વધી ચુકી છે. ગુરુવારે પ્રસાદની અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિએ બાંગ્લાદેશની વિરુદ્ધ યોજાનારી ટી 20 સીરિઝ અને ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની પસંદગી કરી.
ટીમ પસંદગની બાદ પ્રસાદે કહ્યું, 'અમે આગળ વધી ચુક્યા છીએ, અમે અમારા વિચારો પર સ્પષ્ટ છીએ. વર્લ્ડકપ બાદથી અમે સ્પષ્ટ છીએ. અમે રિષભ પંતનું સમર્થન કરવાનું શરૂ કર્યું અને એને સારું રમતા જોયો છે. એને સારું ના કર્યું હોય પણ અમે સ્પષ્ટ કરી ચુક્યા છીએ કે અમે માત્ર એની પર ધ્યાન આપીશું.'
All smiles at the Senior Selection Committee meeting earlier this afternoon as the teams for the forthcoming T20I & Test series against Bangladesh were announced #TeamIndia 🇮🇳🇮🇳📸📸 pic.twitter.com/BxA1S6Hc0Z
જો કે ગાંગુલીએ બુધવારે અધ્યક્ષ પદનો કાર્યભાર લેતા સ્પષ્ટ કરી દીધું હતું કે એ ધોનીની સાથે છે. ગાંગુલીએ કહ્યું હતું કે, 'મને નથી ખબર કે એમના દિમાગમાં શું ચાલી રહ્યું છે. ભારતને ધોની પર ગર્વ છે. જ્યાં સુધી હું છું ત્યાં સુધી દરેક લોકોનું સમ્માન કરવામાં આવે. ધોનીની ઉપલબ્ધિઓએ ભારતને ગર્વ કરવાની તક આપી છે.'
બાંગ્લાદેશ માટે ટી 20 ટીમમાં સંજૂ સેમસેનની પણ પસંદગી કરવામાં આવી છે. સેમસેનની પસંદગી પર પ્રસાદે કહ્યું, 'સંજૂ સેમસેનને એક બેટ્સમેન તરીકે ટીમમાં જગ્યા મળી છે. પંત વિકેટકીપર તરીકે રમશે.'