મોદી કેબિનેટે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરવાને મંજૂરી આપી દીધી છે. મંગળવારે થયેલ કેન્દ્રીય કેબિનેટની મીટિંગમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે હેઠળ દેશભરમાં નાગરિકોનો ડેટાબેસ તૈયાર કરવામાં આવશે.
ના દસ્તાવેજ, ના બાયોમેટ્રિક, એપ દ્વારા થશે NPR માટે વસ્તીગણતરી
CAA પર હોબાળા વચ્ચે મોદી કેબિનેટની બેઠક
કેબિનેટમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને મંજૂરી
એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ચાલશે વસ્તીગણતરી
કેન્દ્રીય પ્રકાશ જાવડે કરે કહ્યું કે અટલ ટનલ મનાલીથી લેહ સુધી બનાવવાની યોજના 2005માં શરૂ થઇ હતી. જેનું 50 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રિમંડળ ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ચિહ્નિત થયેલ વિસ્તારોમાં 5 વર્ષોની અવધિ માટે 6000 કરોડ રૂપિયાના કુલ મૂડીરોકાણની સાથે અટલ જલ યોજનાને મંજૂરી આપી. જાવડેકરે કહ્યું કે એપ્રિલથઈ સપ્ટેમ્બર 2020 સુધી વસ્તીગણતરી ધશે. વસ્તીગણતરીમાં કોઇ દસ્તાવેજની જરૂર નહીં હોય. જે પણ ભારતમાં રહે છે, તેની ગણતરી થશે. તેના માટે એક વિશેષ એપ તૈયાર કરવામાં આવી છે.
કોઇ દસ્તાવેજની જરૂર નહીં
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે મંત્રિમંડળની વસ્તીગણતરી 2021ના આયોજન અને રાષ્ટ્રીય વસ્તીગણતરી રજિસ્ટાર અપડેટ કરવાને મંજૂરી આપી દીધી છે. આ સ્વ ઘોષણા છે, જેના માટે કોઇ દસ્તાવેજ, બાયોમેટ્રિક અને અન્ય કોઇ જરૂરી નહીં હોય. કેબિનેટથી વસ્તીગણતરી 2021 માટે 8,754.23 કરોડ અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NRP)ના અપડેશન માટે 3,941.35 કરોડની મંજૂરી મળી છે.
સ્વદેશ દર્શન યોજના
જાવડેકરે કહ્યું કે કેન્દ્રીય મંત્રિમંડળના સ્વદેશ દર્શન યોજનામાં 2018-19 દરમિયાન સ્વીકૃત 10 પરિયોજનાઓ માટે 627.40 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી છે.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ પદની મળી મંજૂરી
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે સરકારે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના પદ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. રક્ષા સ્ટાફના પ્રમુખના રૂપમાં નિમણૂંક કરનારા અધિકારી હશે અને સેના મામલાના વિભાગના પ્રમુખ પણ હશે.