જ્યારે સાંજે છત્તીસગઢના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. આ સમારોહમાં રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષી દળોના નેતા પણ હાજર રહી શકે છે.
કમલનાથના શપથ ગ્રહણ સમારોહમાં દેખાશે મહાગઠબંધનની ઝલક
કમલનાથ મધ્યપ્રદેશના 18માં મુખ્યમંત્રી પદના શપથ લેશે. 15 વર્ષ બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને જીત મળી છે. તેવામાં કોંગ્રેસે શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવાની તૈયારી કરી છે. ત્યાં સુધી કે ભોપાલથી 2019 લોકસભા ચૂંટણી માટે મહાગઠબંધનની પણ ઝાંખી દેખાડવામાં આવશે. એટલા માટે રાહુલ ગાંધી તેજસ્વી યાદવ સહિત કેટલાક મોટા નેતા હાજર રહેશે.
છત્તીસગઢના મુખ્યમંત્રીનો રાયપુરમાં શપથગ્રહણ સમારોહ
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલનો રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ મેદાનમાં કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે.