ઉત્તરપ્રદેશમાં વસ્તી નિયંત્રણ કાયદાને લઈને મુખ્યમંત્રી યોગી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું કહ્યું કે દરેક વસ્તુ માટે એક યોગ્ય સમય હોય છે અને યોગ્ય સમય આવતા કાયદો લાગૂ કરવામાં આવશે.
વસ્તી નિયંત્રણ કાયદા પર મુખ્યમંત્રી યોગીએ કર્યુ એલાન
કહ્યું દરેક વસ્તુ માટે યોગ્ય સમય નક્કી કરવામાં આવે છે
સમય આવતા વસ્તી નિયંત્રણ કાયદો લાગૂ કરીશું : CM યોગી
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે તે યોગ્ય સમયે રાજ્યમાં વસ્તી નિયંત્રણ કાયદો લાગૂ કરશે. સાથેજ તેમણે કહ્યું કે દરેક વસ્તુ માટે એક યોગ્ય સમય હોય છે. જે સમયે તેને કરવી જરૂરી હોય છે. સીએમ યોગીએ કહ્યું કે જ્યા વસ્તી નિયંત્રણનો કાયદો લાવવામાં આવશે તો તેને જાહેર કરવામાં આવશે ખાનગીમાં કોઈ પણ નિર્ણય લેવામાં નહી આવે.
2 કરતા વધુ બાળકોને ફાયદો નહી મળે
વધુમાં તેમણે કહ્યું કે ગત જુલાઈ મહિનામાં વસ્તી નિયંત્રણનું બીલ ઉત્તરપ્રદેશની વિધિ આયોગ વેબસાઈટ પર મુકવામાં આવ્યું હતું. સાથેજ તે સમયે જનતા પાસેથી સૂચનો પણ માગવામાં આવ્યા હતા. આ બીલમાં એવો ઉલ્લેખ હતો કે જેને 2 કરતા વધારે બાળક હશે તે ચૂટણી નહી લડી શકે સાથેજ તેને સરકારી નોકરી નહી મળે ઉપરાંત તેને કોઈ સબસીડીનો લાભ પણ નહી મળે.
સરકારી નોકરી કરનારને પ્રમોશન પણ નહી મળે
વસ્તી નિયંત્રણનું જે બિલ છે તેમા એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારી નોકરી કરતા લોકોને પણ બે સંતાન કરતા વધારે હશે તો તેમને પણ પ્રમોશન આપવામાં નહી આવે. પરંતુ જે લોકોને બે અથવા બે કરતા ઓછા સંતાન છે તે લોકોને સરકાર તરફથી પ્રોત્સાહન આફવામાં આવશે.
યોગ્ય સમયે કાયદો લાગૂ કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે મુખ્યમંત્રી યોગીએ એવું કહ્યું છે કે યોગ્ય સમયે કાયદો લાગૂ કરવામાં આવશે. સાથેજ તેમણે એવું કહ્યુ કે મીડિયા એવો સવાલ કરે છે કે રામમંદિર નિર્માણની તારીખ ક્યારે જાહેર થશે પરંતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના મહામારીમાં પણ 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરની આધારશિલા મૂકી હતી. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે વડાપ્રધાન અને ગૃહમંત્રી દ્વારા અનુચ્છેદ 370ને પણ હટાવી દેવામાં આવ્યો.