મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રમાં દરિયા કાંઠે વસતા લોકોને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે મખ્મમંત્રી વિજય રૂપાણીએ 102 કરોડની યોજાને મંજૂરી આપી છે આ
સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે વસતા લોકોના હિતમાં નિર્ણય
દરિયાઈ ખારાશને અટકાવવા માટે આપી યોજાનને મંજૂરી
હવે સિંચાઈ સવલતો મળશે અને જમીનની ફળદ્રુળતા વધશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રમાં દરિયા કાંઠે વસતા લોકોને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે મખ્મમંત્રી વિજય રૂપાણીએ 102 કરોડની યોજનાને મંજૂરી આપી છે આ યોજનાનો હેતું રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવા છે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશતા અટકાવવા મામલે અને તેના પ્રવેશ પર નિયંત્રણ મુકવા માટે 102 કરોડની યોજનાને મંજૂરી આપી છે
જમીનની ખારાશ વધતા ફળદ્રુપ જમીનને નુક્સાન થાય
મહત્વનું છે કે જમીનની ખારાશ વધતા ફળદ્રુપ જમીનને નુક્સાન થાય છે. પરતું યોજના અમલી બનતા 23 ગામોને લાભ મળશે અને 2110 હેક્ટરથી વધુ જમીનમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવી શકાશે તેમજ જમીન ફળદ્રઉમતા જળવાઈ રહેશે. આ યોજના થકી ખારાશ પ્રસરતી અટકશે ભૂગર્ભ જળ ઉંચા આવશે અને પીવાનું મીઠું પાણી મળતું થશે અત્યાર સુધીમાં ક્ષાર પ્રવેશ નિયંત્રણના વિવિધ કામોથી 87,797 હેક્ટર જમીનમાં ફળદ્રૂપતા વધી છે.આ ઉપરાંત કેનાલમાં મીઠું પાણી ભરાતા આ વિસ્તારમાં સિંચાઇ માટે ઉપયોગમાં લઇ શકાશે.
પીવા માટેનું મીઠું પાણી પણ મળતું થશે
દરિયાઈ ખારાશને અટકાવવા માટે 40 કિ.મી સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરવામાં આવનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં લઈ આ યોજનાને મંજૂરી આપી છે. સ્પ્રેડિંગ કેનાલના પાણીથી આસપાસના વિસ્તારોના કૂવા તળાવોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે અને સમગ્ર વિસ્તારમાં પીવા માટેનું મીઠું પાણી પણ મળતું થશે.
દરિયાઈ ખારાશ અટકાવવા અનેક કામોહાથ ધરાયા
દરિયાઇ ખારાશ જમીનમાં આગળ વધતી અટકાવવા રાજ્યના જળ સંપતિ વિભાગ દ્વારા ક્ષાર પ્રવેશ નિયંત્રણ અન્વયે સઘન કામગીરી હાથ ધરવામાં આવે છે.અત્યાર સુધીમાં જળસંપતિ વિભાગ દ્વારા ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળ 46 ભરતી નિયંત્રક-બંધારા, 18 પુન:પ્રભરણ જળાશયો, 34 પુન:પ્રભરણ તળાવો, 397 કૂવાઓ તેમજ 220 કિ.મી. લંબાઇની સ્પ્રેડિંગ કેનાલ અને 678 નાના માટો ચેકડેમો બાંધવામાં આવ્યા છે.
ખેડૂતોને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થયું
આ સમગ્ર કામોથી સૌરાષ્ટ્ર વિસ્તારના 87,797 હેક્ટર જમીનમાં ફળદ્રૂપતા વધી છે. અને ખારાશ પ્રસરતી અટકવાનો ફાયદો થયો છે. એટલું જ નહીં, ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળ થયેલી કામગીરીથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થયું છે. તેમજ દરિયાઇ વિસ્તારમાં ખારાશ આગળ વધતી પણ અટકી છે. અને લાખો ખેડૂતોને સિંચાઇથી ખેતીવાડીમાં ફાયદો થયો છે.