મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અમદાવાદ વડોદરા ખેડા એમ ત્રણ શહેરની મુલાકાત લેશે. જેમાં અમદાવાદમાં તેઓ રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.
જ્યારે સીએમ રૂપાણી નડીયાદમાં વડતાલ એસ.ટી. બસ સ્ટેન્ડનું પણ ઉદ્ઘાટન કરશે. તો બીજ તરફ મુખ્યમંત્રી રૂપાણી વડોદરામાં નરસિંહજી વરઘોડા નામના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાતને લઈને તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવશે. જો કે અમદાવાદ મનપાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકાને લઇને વિવાદ સર્જાયો હતો.
આમંત્રણ પત્રિકામાં તંત્રના બેવડા ધોરણો સામે આવ્યા છે. મનપા દ્વારા આયોજીત રાષ્ટ્રીય બૂકફેરમાં કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવ્યું નથી જ્યારે રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શન માટે કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.