CM રૂપાણી દ્વારા ઓનલાઈન બિનખેતી હુકમોનું વિતરણ કરી સુશાસન દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમને ભ્રષ્ટાચાર મામલે મોટું નિવેદન આપ્યું હતું.
CM રૂપાણીએ જણાવ્યું હતું કે બધાને ખબર જ છે કે ક્યાં ભ્રષ્ટાચાર ચાલે છે બાદમાં તેમને કહ્યું કે સૌથી વધારે ભ્રષ્ટાચાર મહેસૂલ અને પોલીસ ખાતામાં થતો આવ્યો છે.
વધુમાં CM રૂપાણીએ જણાવ્યું કે પોલીસ અને મહેસૂલ ખાતુ ભ્રષ્ટાચારની બાબતમાં સૌથી વધુ બદનામ છે. લોકોએ પણ આ ભ્રષ્ટાચારની માનસિકતાને સ્વીકારી લીધી છે.
જિલ્લા પંચાયતોએ NAને લઈને માઝા મૂકી હતી. ઓનલાઇન NA થતા કેટલાક લોકોની દુકાનો બંધ થઈ હોવાની વાત કરી હતી. આ મામલે કૌશિક પટેલે પણ જૂની સરકાર પર પ્રહાર કર્યા હતા.