અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો તૈયાર થઈ ગયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફ્લાવર શોને ખુલ્લો મુક્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ફ્લાવર શોમાં વિવિધ કલાકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે.
ફ્લાવર શો 1.28 લાખ ચોરસ મીટરમાં પથરાયેલો છે જ્યારે શોમાં જવા માટે પ્રથમવાર 10 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. ફ્લાવર શોમાં 7.50 લાખથી વધુ રોપાનું પ્રદર્શન કરાયું છે. આ ફલાવર શોમાં 15 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.
આવતી કાલે 17 જાન્યુઆરીએ ફ્લાવર શો માત્ર બે કલાક જ ચાલુ રહેશે. જ્યારે 18 જાન્યુઆરીથી ફ્લાવર શો સવારે 10 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. આમ આ ફ્લાવર શોમાં આ વખતે અંદાજે 8 લાખ જેટલા અવનવા પ્લાન્ટસ લગાવામાં આવ્યાં છે.
તેથી નવા વર્ષનો ફ્લાવર શો ગુજરાતની જનતા માટે ખાસ આકર્ષનું કેન્દ્ર બની રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી પુરજોશમાં ચાલી રહી હતી.