અભિયાન અંતર્ગત રાજ્યમાં 330 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજે ૧૩ હજાર ૮૩૪ કામ હાથ ધરાશે અને રાજ્યભરમાં લોકભાગીદારીથી અંદાજે ૩ હજાર ૫૨૪ તળાવો, ચેકડેમ અને જળાશયો ઉંડા ઉતારાશે.
ચાલુ વર્ષે રાજ્યમાં ઓછો વરસાદ પડતાં અનેક જિલ્લામાં પાણી માટે હાલાકી પડી રહી છે. ત્યારે આગામી સમયમાં પાણીના સંગ્રહ માટે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન મહત્વનું બની રહેશે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું કે, સમગ્ર રાજ્યમાં જળ અભિયાનને લોક ભાગીદારીથી મિશન મોડમાં ઉપાડી જળ સંકટ દૂર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ અંદાજે ૧૩૮૩૪ કામો રૂ. ૩૩૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે અને રાજ્યભરમાં લોકભાગીદારીથી અંદાજે ૩૫૨૪ તળાવો, ચેકડેમો, જળાશયો ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ તકે સાંસદ દેવજીભાઈ ફતેપરા, ડો. ભરતભાઈ બોઘરા સહીત સ્થાનિક હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.