અમદાવાદમાં આજે CM રૂપાણીના હસ્તે રબારી શાદી ડોટ કોમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. સાથેજ માલધારી સમાજ સ્કૂલનું પણ ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું કે 19મી સદીમાં બાહુબલ હતું તેણે રાજ કર્યું. પણ 21મી સદી શિક્ષણની સદી રહેવાની છે.
શિક્ષણના યુગમાં શિક્ષણ આપવાની જરૂર :CM રૂપાણી
ગૃહરાજ્યમંત્રીએ વધુંમાં કહ્યું કે આવશ્યકતા પડી ત્યારે રબારી સમાજ ભાજપ સાથે ઉભો રહ્યો છે. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રબારી સમાજ માટે આનંદનો દિવસ છે. સાથેજ તેમણે કહ્યું કે હવે શિક્ષણનો યુગ છે. જેથી આપણે લોકોને શિક્ષણ આપવાની જરૂર છે
ગાયોની ભક્તિ રબારી સમાજની પરંપરા :CM રૂપાણી
વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ એવું પણ કહ્યું કે ભવન રબારી સમાજ ઉત્કર્ષનું કેન્દ્ર બની રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ રબારી સમાજ પડકારોને ઝેલી શકે તેમ છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે રબારી સમાજે ગાયોની ભક્તિનો વ્યવસાય કર્યો છે. ગાયોની ભક્તિ અને પૂજા રબારી સમાજની પરંપરા રહી છે.
આફતમાં માલધારીઓ હંમેશા સાથે રહ્યા :CM રૂપાણી
મહિલાઓ મુદ્દે સીએમ રૂપાણી એવુ પણ કહ્યું કે મહિલાઓની રક્ષા કરવામાં રબારી સમાજનું યોગદાન સૌથી આગળ રહ્યું છે. ગાય. ગીતા અને દીકરી માટે રબારી સમાજ હંમેશા ન્યોછાવર રહ્યો છે. તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. સાથેજ તેમેણે કહ્યું કે ગુજરાતમાં જ્યારે જ્યારે આફત આવી છે ત્યારે માલધારીઓ સાથે રહ્યા છે.
માલધારી સમાજ લાકડીથી કલમ તરફ આગળ વધ્યો :CM રૂપાણી
સીએમ રૂપાણીએ એ વાતનો ઉલ્લેખ કર્યો કે માલધારી સમાજ હવે લાકડીથી કલમ તરફ આગળ વધી રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે સામજિક એકતા છિન્ન ભિન્ન થશે તો ગુજરાતનો વિકાસ પણ રૂંધાઈ જશે. ઉપરાંત તેમણે કહ્યું કે 50 ટકાના ભાવે સરકારે માલધારી સમાજને જમીન આપી છે.
ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં સીએમં રૂપાણીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે તેમણે રબારી સમાજના વિકાસ માટે બધીજ મદદ કરી છે. સાથેજ તેમણે સમગ્ર મામલે કહ્યું કે સીમમાં ઢોર ચલાવતો માલધારી સમાજ શિક્ષિત હોય તે વધારે જરૂરી છે.