ગુજરાતમાં તબીબો પડતાર માંગને લઈ વિરોધ કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું તબીબોની માગ વ્યાજબી નથી
તબીબોની માંગને લઈ મુખ્યમંત્રી આપ્યું નિવેદન
હાલમાં કોરોનાની ડ્યૂટી પણ નથી : મુખ્યમંત્રી
કોવિડ સમયે વધારાનું અપાયું હતુ વેતન : મુખ્યમંત્રી
ગુજરાતમાં તબીબો પડતાર માંગને લઈ વિરોધ કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર મામલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે બોન્ડના વિવાદને લઈ ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે.
હાલમાં કોરોનાની ડ્યૂટી પણ નથી
હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થયું છે જેથી હાલ રાજ્યમાં ક્યાય પણ કોરોના નથી, જેથી તબીબોને ડ્યૂટી પણ આપવામાં આવતી નથી. આમ ડ્યૂટી ન હોવા છતા બોન્ડના અમલની માંગ વ્યાજબી નથી. મહત્વનું છે કે, સરકાર દ્વારા કોરોનાકાળ દરમિયાન તબીબોને કોરોનાનું વધારાનું ભથ્થુ અપાતું હતુ પરતું હાલમાં તે ભથ્થું ન મળતા તબીબો વિરોધમાં ઉતર્યા છે. જેને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તબીબોને માંગને લઈ નીતિન પટેલે સ્પષ્ટતા કરી હોવાનું જણાવ્યું હતું.
કોવિડ સમયે વધારાનું અપાયું હતુ વેતન
એટલું જ નહીં રાજ્યમાં વધતી મોંઘવારીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ઈન્ટરનેશનલ ક્રૂડ ઓઈલના ભાવ વધતા દેશમાં માત્ર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે જ્યારે અન્ય તમામ ચીજ-વસ્તુઓના ભાવ સ્થિર છે. આ મામલે CM રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં લોકોને દાળ-રોટલી પણ મળતી ન હતી જોકે હાલના સમયમાં આ પ્રકારની કોઈ સ્થિતિ સર્જાઈ નથી.