ઝારખંડની રિઝોર્ટ પોલિટિક્સ આજે સમાપ્ત થઈ છે. હેમંત સોરેન સરકારે આજે વિધાનસભામાં સ્પેશિયલ સત્ર બોલાવ્યું હતું.
ઝારખંડમાં આજે રિઝોર્ટ પોલિટિક્સનો અંત આવ્યો
વિધાનસભામાં હેમંત સોરેન સરકારે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો
સરકારના પક્ષમાં પડ્યા 48 વોટ
ઝારખંડની રિઝોર્ટ પોલિટિક્સ આજે સમાપ્ત થઈ છે. હેમંત સોરેન સરકારે આજે વિધાનસભામાં સ્પેશિયલ સત્ર બોલાવ્યું હતું, જેમાં હેમંત સોરેન સરકારે વિશ્વાસ પ્રસ્તાવ સદનમાં રજૂ કર્યો હતો. વોટિંગ દરમિયાન તેમના પક્ષમાં 48 વોટ પડ્યા હતા, અને આવી રીતે ફરી એક વાર વિશ્વાસ મત પ્રાપ્ત કરી લીધો હતો. આ બાજૂ ભાજપે સદનમાંથી વોકઆઉટ કર્યો હતો. ચર્ચા દરમિયાન ધારાસભ્ય સરયૂ રાયે કહ્યું કે, વિશ્વાસ મત પ્રસ્તાવ પર સવાલો ઊભા થાય છે કે શા માટે લાવવામાં આવ્યો ? મારા મનમાં પણ આ સવાલ આવે છે. સદનમાં વિશ્વાસ મત રજૂ કરવામાં આવ્યો. પણ તે પહેલા સત્તાધારી પાર્ટીના ધારાસભ્યોને રાયપુર લઈ ગયા. હવે સદન ખતમ થયા બાદ આ લોકો ક્યાં જશે. આજસૂના ધારાસભ્ય સુદેશ મહતોએ વિધાનસભામાં કહ્યું કે, હેમંત સોરેન સરકારને વિપક્ષે વિશ્વાસ મત પ્રાપ્ત કરવા માટે નથી કહ્યું. આ પ્રસ્તાવ સરકારે પોતાના લોકો માટે વિશ્વાસ રજૂ કરવા માટે લાવ્યા છે.
Jharkhand CM Hemant Soren wins trust vote in the Assembly
આ અગાઉ સદનમાં વિધાનસભા અધ્યક્ષના નિર્દેશ બાદ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સદનમાં વિશ્વાસ મત પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન સીએમ હેમંત સોરેને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.હેમંત સોરેને કહ્યું કે, ભાજપ ફક્ત સત્તાની ભૂખી છે. ભાજપને વિકાસ સાથે કોઈ લેવાદેવા નથી. સદનમાં પોતાના સંબોધન દરમિયાન હેમંત સોરેને ભાજપ પર કેટલાય આરોપ લગાવ્યા હતા. હેમંત સોરેને કહ્યું કે, ભાજપ ખરીદ વેચાણ કરે છે. ભાજપ તરફથી સરકારને અસ્થિર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.