બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Chief Minister Bhupendra Patel's action against the corrupt

ગાંધીનગર / ભ્રષ્ટાચારીઓ સામે CM ભૂપેન્દ્ર પટેલની લાલઆંખ,મહેસૂલ વિભાગનો ચાર્જ સંભાળતા જ કર્યો મોટો નિર્ણય

Dinesh

Last Updated: 11:44 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભ્રષ્ટાચારીઓ સામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કાર્યવાહી; મહેસુલ વિભાગનો ચાર્જ CMએ સંભાળતા જ મોટો નિર્ણય, તાકેદારી આયોગના સંદર્ભના કેસોની થશે કાર્યવાહી

  • ભ્રષ્ટાચારીઓ સામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કાર્યવાહી 
  • મહેસુલ વિભાગનો ચાર્જ CMએ સંભાળતા જ મોટો નિર્ણય
  • તાકેદારી આયોગના સંદર્ભના કેસોની થશે કાર્યવાહી 


ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ હવે તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. તાજેતરમાં પદગ્રહણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. તેમણે CMએ તમામ મંત્રીઓને વિશેષ કામગીરી સોંપી છે અને મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય આપ્યું છે. તો વળી તેમણે ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા નિર્ણય લીધો છે.

ભ્રષ્ટાચારીઓ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કાર્યવાહી 
ભ્રષ્ટાચારીઓ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કાર્યવાહી કરવા મોટો નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગનો ચાર્જ સંભાળતા જ CM ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. તાકેદારી આયોગના સંદર્ભના કેસોની કાર્યવાહી થશે. તેમજ પડતર કેસોમાં કાર્યવાહી કરવા માટે મહેસૂલ વિભાગે પરિપત્ર કર્યો છે. પડતર કેસની વિગતો કોમ્પ્યુટરાઈઝ કરવા સૂચન અપાયા છે.

CM ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ હવે એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને નવી યોજના, હયાત યોજનાઓના અમલીકરણ પર ભાર મુકી વિઝન ડોક્યુમેન્ટ સંદર્ભે જે તે મંત્રીઓના વિભાગમાં કામગીરી શરૂ કરવા કરી તાકીદ કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય આપ્યુ. 

હર્ષ સંઘવીએ ગઇકાલે જ યોજી હતી બેઠક 
રાજ્યના ગૃહમંત્રી તરીકે બીજી વખત જવાબદારી સંભાળતા હર્ષ સંઘવીએ પોલીસ વિભાગની ડિજિટલ કામગીરી, ઇ-ચલણ તેમજ પોલીસ વિભાગની અન્ય કામગીરીઓ બાબત સમીક્ષા બેઠક યોજી હતી. ડિજિટલ યુગમાં ગુજરાત પોલીસ પણ ઓનલાઈન સેવાઓમાં કઈ રીતે વધુ સુગમ અને પ્રજાલક્ષી કાર્ય કરી શકે તે બાબત આ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ઇ-ચલણમાં અનપેઇડ રીકવરી વધારવા, “વન નેશન વન ચલણ” અંતર્ગત નિર્ણય લેવા, ઇન્ટરસેપ્ટર વાહનોના ઉપયોગની નિયત સમયે સમીક્ષા કરવા આ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારની સફાઇ બાબતે, સાયબર ક્રાઇમ, શી- ટીમ તેમજ ડ્રગ્સ જાગૃત્તિ અંગે 100 દિવસની અવધિમાં ઝુંબેશ ચલાવવા બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ